કેરળમાં ચોમાસાનો ભારે વરસાદ, અત્યારસુધીમાં 13 લોકોની મૌત
ભારતના દક્ષિણ ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. ચોમાસાને કારણે ઘણા દક્ષિણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે
ભારતના દક્ષિણ ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. ચોમાસાને કારણે ઘણા દક્ષિણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યા પર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેરળના અલગ અલગ ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 13 લોકોની મૌત થઇ ચુકી છે. રાજ્યના ઇડુક્કી, કોઝિકોડ, અલપુજ્જા, અને કુન્નર સહીત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. પ્રશાશન ઘ્વારા ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સ્થાનીય પ્રશાશન અનુસાર છેલ્લા બે દિવસના વરસાદમાં લગભગ ડઝન જેટલા લોકોની મૌત થઇ ચુકી છે. જેમાંથી 2 લોકોની મૌત તિરુવલ્લમ અને બે લોકોની મૌત અલપુજ્જામાં થયી છે. કડિનમકુલમમાં એક રાહત શિવિર ખોલવામાં આવી છે. જ્યાં 10 પરિવારના 40 લોકોને શરણ આપવામાં આવી છે. મોટા ભાગના લોકોની મૌત નદીમાં આવેલા ઉફાન અથવા રસ્તામાં ઝાડ ઉખડી જવાને કારણે થયી છે. વરસાદને કારણે ઇડુક્કી, કોઝિકોડ, અલપુજ્જા, અને કુન્નર જેવા જિલ્લાઓમાં પાકને નુકશાન પહોંચ્યું છે.
કેરળના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદનો ટ્રેન સંચાલન પર પણ અસર પડ્યો છે. રેલવે ટ્રેક પર ઝાડ પડવાથી યાતાયાત સુવિધા પણ પ્રભાવિત થયી છે.