આ છે 'સેક્યુલર બોલીવુડ'ના 15 'નોનસેક્યુલર પ્રશ્નો'

ચૂંટણીઓનો પારો ચઢી ગયો છે ત્યારે બોલીવુડ સ્ટાર્સ પણ રાજકીય પાર્ટીઓ માટે મતદારોને રિઝવવા મેદાનમાં ઉતરી પડ્યા છે. આ દરમિયાન કેટલાક બોલીવુડ સ્ટાર્સે દેશની જનતાને જાહેર અપીલ કરી છે કે તેઓ આંખો મીંચીને વોટ આપવાને બદલે દેશના વિકાસમાં માનનારા નેતાઓને મત આપે. આ ઉમેદવાર દેશને ધર્મના આધારે વિભાજિત કરવાને બદલે બધા જ ધર્મોને સાથે લઇને ચાલનારા હોય.

લોકસભા ચૂંટણી 2014નું અડધું મતદાન પુરું થયું છે. બાકી રહેલા તબક્કા માટે તૈયારીઓ ચાલે છે. ત્યારે આજના યુવાનો માટે આદર્શ બનેવા બોલીવુડના સ્ટાર્સ દ્વારા સાંપ્રદાયિક મુદ્દે વહેંચાઇ જવું તે બિનસાંપ્રદાયિક ગણાતા બોલીવુડ અંગે જે પ્રશ્નો ઉભા કરે છે તે આ મુજબ છે...

પ્રશ્ન 1

પ્રશ્ન 1


હું નરેન્દ્ર મોદી માટે મતદાન કરવા જઇ રહ્યો છું કે રહી છું, હવે આપ જણાવો કે હું ધર્મનિરપેક્ષ છું કે સાંપ્રદાયિક?

પ્રશ્ન 2

પ્રશ્ન 2


જો હું મોદીને વોટ આપું છું કારણ કે તેમણે એક વિકસીત રાજ્યનું ઉદાહરણ લોકો સમક્ષ રજૂ કર્યું છે. હું તેમની પાર્ટી માટે વોટ કરી રહી નથી. તો જણાવો કે મારો એક વોટ દેશને માટે કેવી રીતે જોખમરૂપ બની રહેશે?

પ્રશ્ન 3

પ્રશ્ન 3


બિનસાંપ્રદાયિક ગણાતા બોલીવુડના લોકો કટ્ટર વિચારધારાનો પરિચય આપી રહ્યા છે? તેઓ એક ધર્મ માટે બીજા ધર્મના લોકો સામે ઉભા થઇ રહ્યા છે.

પ્રશ્ન 4

પ્રશ્ન 4


ધર્મનિરપેક્ષ શાસનમાં ધર્મને આધારે કોઇ ભૂમિકા રહેવી જોઇએ નહીં. જો આ લોકો આજે બિનસાંપ્રદાયિક રહેવાની અપીલ કરે છે તો છેલ્લા 10 વર્ષથી શા માટે ચૂપ હતા જ્યારે કોંગ્રેસ પાર્ટી સતત મુસ્લિમોનું કાર્ડ રમી રહી હતી.

પ્રશ્ન 5

પ્રશ્ન 5


શું ભારત માટે સૌથી મોટો મુદ્દો ધર્મનિરપેક્ષતા જ છે? રાજકારણ ગરીબી, આતંકવાદ, માઓવાદી, મોંઘવારી જેવી સમસ્યાઓમાંથી દેશને મુક્ત કરાવવા માટે નથી?

પ્રશ્ન 6

પ્રશ્ન 6


હિન્દુઓ અને નરેન્દ્ર મોદીને કટ્ટરવાદી વિચારધારાવાળા ગણાવનારા લોકોએ મુસ્લિમોની વિચારધારા અંગે શું કહેવું છે?

પ્રશ્ન 7

પ્રશ્ન 7


નરેન્દ્ર મોદીનું નામ આવે ત્યારે તેમને સાંપ્રદાયિક ગણાવાય છે તો શું અન્ય પાર્ટીઓ જેવી કે કોંગ્રેસ, સપા, બસપા વગેરે ધર્મના નામે વોટ નથી માંગતી?

પ્રશ્ન 8

પ્રશ્ન 8


ઘણા ફિલ્મસ્ટાર્સ અને પત્રકારો વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીને સાંપ્રદાયિક માને છે. કોઇ વ્યક્તિની વ્યક્તિગત વિચારધારાને જનતાની વિચારધારામાં ખપાવી દેવી કેટલી યોગ્ય છે?

પ્રશ્ન 9

પ્રશ્ન 9


મોદીની સામે બોલનારા લોકો દેશની સમસ્યાઓની વાત કરવાનું કેમ ટાળે છે?

પ્રશ્ન 10

પ્રશ્ન 10


રમખાણો મુદ્દે મોદીની ટીકા કરનારા મુઝફ્ફરનગરના રમખાણો સમયે ક્યાં છુપાઇ ગયા હતા?

પ્રશ્ન 11

પ્રશ્ન 11


પટકથા લેખકોએ સાંપ્રદાયિક મુદ્દાઓ પર પોતાનો એકતરફો મત પ્રકટ કરવો જોઇએ?

પ્રશ્ન 12

પ્રશ્ન 12


વ્યક્તિગત રાયને આધારે જાહેર જીવનની વ્યક્તિને જાણ્યા અને સમજ્યા વિના કટ્ટરવાદીનું લેબલ આપી દેવું કેટલું યોગ્ય?

પ્રશ્ન 13

પ્રશ્ન 13


ભૂખમરો, રેપ, મોંઘવારી, વિકાસ વગેરે જેવા મુદ્દાઓ પર બોલીવુડની હસ્તીઓ કેમ બોલતા ખચકાય છે?

પ્રશ્ન 14

પ્રશ્ન 14


મોદીની વિરુદ્ધ બોલીને બોલીવુડ પરોક્ષ રીતે કોંગ્રેસને સાથ આપી રહ્યું છે. આ પણ કોઇ એક પક્ષની જ વાત થઇ. આવા સમયે નિષ્પક્ષતાની આશા કોની પાસે રાખવી જોઇએ?

પ્રશ્ન 15

પ્રશ્ન 15


મોદી સેક્યુલર છે એટલા માટે તેમને મત નહીં આપવો એ કેટલું યોગ્ય છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X