નાબાલિક મુસ્લિમ યુવકે જય શ્રી રામ કહેવાની ના પાડી, તો સળગાવી દીધો
ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવે છે. અહીં 17 વર્ષના એક નાબાલિકને કથિત રીતે જય શ્રી રામ નારો નહીં લગાવવાને કારણે જીવતો સળગાવી દેવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવે છે. અહીં 17 વર્ષના એક નાબાલિકને કથિત રીતે જય શ્રી રામ નારો નહીં લગાવવાને કારણે જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. ત્યારપછી આ યુવકને કાશી કબીર ચૌરા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. આરોપ છે કે યુવકને જય શ્રી રામ નારો લગાવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ જયારે તેને આવું કરવાની ના પાડી ત્યારે તેને જીવતો સળગાવી દીધો. પરંતુ પોલીસે આ બંધ જ આરોપોને નકારી નાખ્યા છે.

ચંદોલી એસપી સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે પીડિતે બે અલગ અલગ નિવેદનો આપ્યા છે. અગાઉ પીડિતે કહ્યું હતું કે તે દોડવા માટે મહારાજપુર ગામે ગયો હતો, જ્યાં તેને ચાર લોકો મળ્યા હતા જેણે તેને ખેંચીને આગની હવાલે કરી દીધો હતો. પીડિતે બાદમાં આરોપ પણ લગાવ્યો હતો કે આરોપીએ જય શ્રી રામને સૂત્રોચ્ચાર કરવા કહ્યું હતું, જ્યારે તેણે આવું કરવાની ના પાડી ત્યારે લોકોએ તેને આગની હવાલે કરી દીધો.
SP Chandauli: He's admitted in a hospital with 45% burns. He had given different statements to different people, so it seemed suspicious. It seemed he had been tutored. Police monitored CCTV footage of places he had mentioned & found that he had not been at any of those places. pic.twitter.com/Z6ZrijmE0Q
— ANI UP (@ANINewsUP) July 29, 2019
એસપી સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે પીડિતને બીએચયુમાં રેફર કરવામાં આવ્યો છે, જ્યાં તેણે પોતાનું નિવેદન બદલ્યું છે. તેણે ઈન્સ્પેક્ટરને જણાવ્યું છે કે ચાર લોકોએ મોટરસાયકલોથી તેનું અપહરણ કરી તેને હતીજા ગામે લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ મહારાજપુર ગામ અને હાતીજા ગામ બંને જુદી જુદી દિશામાં છે. એસપીએ જણાવ્યું હતું કે પીડિત 45 ટકા બળી ગયો છે. જે રીતે તેણે બે જુદાં જુદાં નિવેદનો આપ્યાં છે, તે શંકા પેદા કરે છે, એવું લાગે છે કે તેને ટોર્ચર કરવામાં આવ્યો છે. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: જમીન વિવાદની તપાસ કરવા ગયેલા પોલીસકર્મીની મારી મારીને હત્યા
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
