કેન્દ્ર સરકારે હાફિઝ સઈદના બનેવી સહિત 18 લોકોને ઘોષિત કર્યા આતંકવાદી
ભારતમાં આતંકવાદને ખાત્મા માટે પ્રતિબદ્ધ કેન્દ્ર સરકારે આજે વધુ 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા છે.
નવી દિલ્લીઃ ભારતમાં આતંકવાદને ખાત્મા માટે પ્રતિબદ્ધ કેન્દ્ર સરકારે આજે(27 ઓક્ટોબર) યુપએપીએ અધિનિયમ 1967(2019માં સંશોધિત) હેઠળ વધુ 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા છે. મંગળવારે નામોની ઘોષણા કરીને ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર આતંકવાદ સામે પોતાની ઝીરો ટોલરન્સ નીતિ પર સંપૂર્ણપણે અડગ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષને મજબૂત કરવા અને આતંકવાદને સહન ન કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને સરકારે UAPA અધિનિયમ 1967(2019માં સંશોધિત)ની જોગવાઈઓ હેઠળ વધુ અઢાર વ્યક્તિને આતંકવાદી ઘોષિત કર્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી આતંકવાદીઓની લિસ્ટમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી શામેલ છે. આમાં 26/11 મુંબઈ હુમલામાં આરોપી લશ્કરનો યૂસુફ મુજમ્મિલ, અબ્દુર રહેમાન મક્કી- લશ્કર ચીફ હાફિજ સઈદનો બનેવી, 1999માં કંધાર IC-814 અપહરણકર્તા યૂસુફ અઝહર, બૉમ્બે બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ ટાઈગર મેમણ સહિત અંડર વર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમની નજીક ગણાતો છોટા શકીલનુ નામ પણ શામેલ છે.
જુલાઈ, 2019માં પાસ થયુ હતુ બિલ
તમને જણાવી દઈએ કે આતંકવાદની કમર તોડવા માટે ગૃહમંત્રી અમિત શાહે ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) સંશોધન બિલ, 2019ને ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં રજૂ કર્યુ હતુ. આ બિલને 24 જુલાઈએ જ લોકસભામાંથી મંજૂરી મળી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ બિલ ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) એક્ટ, 1967માં સુધારા બાદ પાસ થયુ હતુ. કેન્દ્રની મોદી સરકારે જૂના એક્ટમાં અમુક ફેરફાર કર્યા હતા જેથી આતંકી અને નક્સલવાદી ગતિવિધિઓ પર કાબુ અને ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓ સામે કડકાઈથી લડી શકાય.
List includes Pakistan-based terrorists - LeT's Yusuf Muzammil accused in 26/11 Mumbai attack, Abdur Rehman Makki - Brother-in-law of LeT chief Hafiz Saeed, Yusuf Azhar involved in 1999 Kandahar lC-814 hijacking, Tiger Memon who hatched conspiracy of Bombay Blast & Chhota Shakeel https://t.co/SiPD5Io6po
— ANI (@ANI) October 27, 2020
તમિલનાડુ કેસમાં પોલિસવાળાએ પિતા-પુત્રને પોલિસ સ્ટેશનમાં 7 કલાક સુધી માર્યાઃ CBI