For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1984 રમખાણઃ સજ્જન કુમારને હાઇકોર્ટની નોટિસ

By Super
|
Google Oneindia Gujarati News

sajjan-Kumar
નવી દિલ્હી, 22 જુલાઇઃ દિલ્હી હાઇકોર્ટે 1984માં સિખ વિરોધી રમખાણોમાં નીચલી અદાલત દ્વારા કોંગ્રેસ નેતા સજ્જન કુમારને છોડી મૂકવાના વિરોધમાં સીબીઆઇની યાચિકા પર સુનાવણી કરતા સોમવારે નોટિસ જારી કરવામાં આવી.

ન્યાયમૂર્તિ જી એસ સિસ્તાની તથા ન્યાયમૂર્તિ જી પી મિત્તલની ખંડપીઠે સજ્જન કુમાર પાસે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. નીચલી અદાલતે 31 ઓક્ટોબર 1984એ તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સિખો વિરુદ્ધ ભડકેલા રમખાણ દરમિયાન દિલ્હી કેન્ટ વિસ્તારમાં પાંચ લોકોની હત્યા સાથે જોડાયેલા મામલામાં 30 મેના રોજ સજ્જન કુમારને છોડી મુકવામાં આવ્યા હતા.

સીબીઆઇએ સજ્જન કુમારને છોડી મુકવાના નીચલી અદાલતના નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી યાચિકામાં કહ્યું કે, નિચલી અદાલતે સજ્જન કુમારને છોડીને ભુલ કરી છે, કારણ કે રમખાણ દરમિયાન તેમણે ભીડની ઉશ્કેરી હતી.

English summary
The Delhi High Court Monday issued notice to Congress leader Sajjan Kumar on an appeal filed by the Central Bureau of Investigation (CBI) challenging his acquittal in a 1984 anti-Sikh riots case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X