Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતના રમખાણો બાદ થયું ઇન્ડિયન મુઝાહિદ્દીનનું ગઠન: શકીલ અહેમદ

shakeel ahmed
નવી દિલ્હી, 21 જુલાઇ : કોમ્યુનલના મુદ્દાને ફરી સળગાવવાનું કામ કોંગ્રેસના મહાસચિવ શકીલ અહેમદે કર્યું છે. તેમણે આતંકી સંગઠનોના ઉદભવ થવાનું કારણ બીજેપી અને આરએસએસની રાજનીતિને કારણભૂત ગણાવ્યા. રવિવારે તેમણે દાવો કર્યો છે કે 2002ના ગુજરાત રમખાણોના પગલે આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનનું ગઠન થયું છે.

અહેમદે ટ્વિટર પર લખ્યું છે કે 'એનઆઇએ પોતાના આરોપ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતના રમખાણો બાદ ઇન્ડિયન મુઝાહિદ્દીનનું ગઠન થયું. બીજેપી અને આરએસએસ હજી પણ પોતાની કોમ્યુનલ રાજનીતિમાંથી બહાર નહીં આવે.'

કોંગ્રેસ મહાસચિવનો જ્યારે આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે આતંકવાદના મુદ્દા પર પ્રતિક્રિયા માટે બીજેપીની સાંપ્રદાયિક રાજનીતિ જવાબદાર છે.

તેમણે જણાવ્યું કે 'ઇન્ડિયન મુઝાહિદ્દીનની સ્થાપનાની પાછળ 2002ના રમખાણો જવાબદાર છે. જો તેઓ પોતાની સાંપ્રદાયિક રાજનીતિ છોડી દે તો આઇએમ જેવા સંગઠન બનવા બંધ થઇ જશે.' અહમદે આરોપ લગાવ્યો છે કે 'દેશમાં સાંપ્રદાયિકતાનો મુખ્ય સ્રોત આરએસએસ અને બીજેપી છે. જે લોકો સાંપ્રદાયિક રાજનીતિ રોકવા માંગે છે, તેમને બીજેપી અને સંઘ પર દબાણ બનાવવું જોઇએ.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X