2014ની તૈયારી : મહારાષ્ટ્રામાં NCPના નેતાઓએ આપ્યાં રાજીનામા

જે લોકોએ રાજીનામા આપ્યા છે તેમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર, લોકનિર્માણ મંત્રી છગન ભુજબળ, ગૃહ મંત્રી આર આર પાટિલ અને ગ્રામીણ વિકાસ મંત્રી જતીન પાટિલનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું કે આ પગલાંને અનસીપી પ્રમુખ શરદ પવાર દ્વારા પાર્ટીના નેતાઓને તાજેતરમાં આપવામાં આવેલા નિર્દેશોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યા છે. જેમાં તેમને આગામી લોકસભા ચૂંટણીઓ માટે તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે એનસીપી મંત્રીઓએ શુક્રવારે સાંજે ઉપમુખ્યમંત્રીના આવાસ પર પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં પવારને રાજીનામા સોંપ્યા હતા.
એનસીપી પ્રદેશમાં કોંગ્રેસની સાથે યુતિ સરકારમાં સામેલ છે. એવા સમાચાર પણ આવ્યા છે કે મહારાષ્ટ્ર એનસીપી પ્રમુખ મધુકર પિચાડ અને પાર્ટીના નેતા તથા વિધાનસભા અધ્યક્ષ દિલિપ વાસલે પાટિલે પણ પોતાના રાજીનામા સોંપી દીધા છે. સૂત્રોએ જણાવ્યું કે લગભગ એક સપ્તાહમાં એનસીપીના પ્રદેશ એકમના નવા અધ્યક્ષની જાહેરાત થઇ શકે છે.












Click it and Unblock the Notifications
