2015માં રજાઓ પર લાગશે નહી ગ્રહણ, હરો-ફરો અને જલસા કરો
બેંગ્લોર, 3 જાન્યુઆરી: નવું વર્ષ નવું આશાઓ લઇને દરવાજા પર આવી ચૂક્યું છે. નોકરિયાત લોકો માટે સૌથી મનપસંદ વસ્તુ જો કોઇ હોય તો તે છે રજા. પરંતુ આ વખતે નવું વર્ષ તમારા માટે સારું સાબિત થવાનું છે. આ વખતે તમારી રજાઓ રવિવારને બલી નહી ચઢે. 2015માં ફક્ત બે રવિવાર જ તમારી રજાઓ પર ગ્રહણ લગાવશે.

ખૂબ ફરો આ વર્ષે
5 માર્ચ (ગુરૂવાર)ના રોજ હોળી તથા 6 માર્ચ શુક્રવારે ધૂળેટીની રજા આવે છે, જેમાં શનિવારની રજા લઇને તમે રવિવાર સુધી તમારા પરિવાર સાથે રહીને તહેવાર ઉજવવાની તક મળી રહી છે. ત્યારબાદ 14 એપ્રિલ (મંગળવાર)ના રોજ આંબેડકર જયંતિ આવે છે, જેની વચ્ચે સોમવારે રજા લઇને તમે ટૂરનો પ્રોગામ બનાવી શકો છો. તો બીજી તરફ 17 જુલાઇ (શુક્રવાર)ને અલવિદા તથા 18 જુલાઇ (શનિવર)ના રોજ ઇદ આવે છે, જેના લીધે લોકો પોતાના પરિવાર સાથે ઇદ ઉજવી શકશે.
15 ઓગષ્ટ (શનિવાર)ના રોજ સ્વતંત્રતા દિવસ તથા 29 ઓગષ્ટ (શનિવાર)ના રોજ રક્ષાબંધન આવે છે, જેમાં સોમવારની રજા લઇને ટૂરનો પ્રોગામ બનાવી શકાય. આ ઉપરાંત 2 ઓક્ટોબર (શુક્રવાર)ના રોજ ગાંધી જયંતિ, 24 ઓક્ટોબર (શનિવાર)ના રોજ તાજિયા, 17 નવેમ્બર (મંગળવાર) ડાળા છઠ્ઠ તથા 25 ડિસેમ્બર (શુક્રવાર)ના ક્રિસમસ ડે જેવી રજાઓ વચ્ચેમાં આગળ-પાછળ રજા લઇને ટૂરનો પોગ્રામ બનાવી શકાય છે.
લોકોમાં છે ખુશી
હુસૈનગંજ લખનઉ નિવાસી કાર્યરત શિક્ષિકા રેણું કહે છે કે રવિવારે સાર્વજનિક રજા આવવી ખૂબ કષ્ટદાયક લાગે છે. તે રવિવારની આસપાસ રજા ઇચ્છે છે, જેથી તેમને પોતાના ઘરમાં રોકાવવાની વધુ તક મળી શકે.
તે કહે છે 'મહેરબાની છે કે આ વખતે ફક્ત બે રવિવારે જ સાર્વજનિક રજાની બલી ચઢી રહ્યાં છે. આ ઉપરાંત ખુશી એ વાતની છે કે નવા વર્ષમાં ટૂર પોગ્રામ માટે આગળ-પાછળ રજા આવે છે, જેથી ઘર-પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવવાની તક મળશે.''
એક પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર જૂહી સિંહ રજાઓની યાદી જોઇને ખુશ છે. તેમનું કહેવું છે કે આ વખતે ટૂર પોગ્રામ નક્કી કરવામાં માથાકૂટ કરવી નહી પડે. તે જણાવે છે કે હોળી, રક્ષાબંધન તથા દિવાળી જેવા ખાસ તહેવારની સાથે અન્ય રજાઓ પર ટૂર પ્રોગામ બનાવવામાં રવિવારની આગળ-પાછળ અથવા વચ્ચે આવતાં મદદ થઇ રહી છે.
હજરતગંજ નિવાસી દીપાંશુ ખોસલા એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમણે કહ્યું કે આ વખતે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ સોમવારે આવે છે. એટલા માટે મંગળવાર અથવા શનિવારે રજા લઇને ત્રણ દિવસનો ટૂર પોગ્રામ બનાવી શકાય. ત્રણ ફેબ્રુઆરી (મંગળવાર)ના રોજ રવિદાસ જયંતિ અને 17 ફેબ્રુઆરી (મંગળવાર)ના રોજ મહાશિવરાત્રિ આવે છે, જેથી સોમવારની રજા લઇને ટૂર પોગ્રામ બનાવી શકાય છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
