'જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે, અમે દબાણમાં છીએ', 21 પૂર્વ જજોએ ચીફ જસ્ટીસને લખ્યો ચોંકાવનારો પત્ર
DY Chandrachud: સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. જેમાં તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિમાં ન્યાયતંત્ર પર વધી રહેલા દબાણ અંગે વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ હવે ઘટી રહ્યો છે.
આ પત્ર લખનારાઓમાંથી 17 હાઈકોર્ટના પૂર્વ જજ છે અને બાકીના સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે. આ ન્યાયાધીશોએ 14 એપ્રિલના રોજ એક સામૂહિક પત્રમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને જે પણ કહ્યું છે તે દેશના દરેક જાગૃત નાગરિકે વાંચવું જોઈએ.

21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ લખ્યું છે કે, "અમુક જૂથો દ્વારા દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળું પાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને અમે ચિંતિત છીએ. અમારા ધ્યાનમાં આવ્યું છે કે સંકુચિત રાજકીય હિતો અને અંગત લાભોથી પ્રેરિત આ તત્વો આપણી ન્યાયિક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે."
21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ પત્રમાં આગળ લખ્યું, "અમે ખાસ કરીને ન્યાયતંત્રની વિરુદ્ધ ખોટી માહિતી અને જાહેર ભાવનાઓને ભડકાવવાની યુક્તિઓથી ચિંતિત છીએ, જે ફક્ત અનૈતિક નથી પરંતુ આપણા લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો માટે પણ નુકસાનકારક છે.
21 નિવૃત્ત ન્યાયાધીશોએ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, "કોઈના મંતવ્યો સાથે મેળ ખાતા ન્યાયિક ચુકાદાઓની પસંદગીપૂર્વક પ્રશંસા કરવાની અને ન્યાયિક સમીક્ષાના સારને અને એ ચુકાદાઓની આકરી ટીકા કરવાની પ્રથા જે ન્યાયિક સમીક્ષા અને કાયદાના શાસનના સારને નબળુ નથી પાડતા."
સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશો સહિત નિવૃત્ત ન્યાયાધીશોએ પત્રમાં એવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો નથી કે જેના કારણે તેઓએ CJIને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારના મામલામાં કેટલાક વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહીને લઈને સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમિયાન આ પત્ર લખવામાં આવ્યો છે.
21 Retired Judges write to Chief Justice of India (CJI) Dy Chandrachud
— ANI (@ANI) April 15, 2024
"We write to express our shared concern regarding the escalating attempts by certain factions to undermine the judiciary through calculated pressure, misinformation, and public disparagement. It has come to… pic.twitter.com/bPZ0deczI2
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
