પાકિસ્તાનમાં બાલાકોટ જેવા જેશના 9 ટેરર કેમ્પ સક્રિય
26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સ ઘ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં જેશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓની હકીકત દુનિયા સામે આવી ચુકી છે.
26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સ ઘ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં જેશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓની હકીકત દુનિયા સામે આવી ચુકી છે. એક ભારતીય અધિકારી ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર હાલમાં પાકિસ્તાનમાં 22 આતંકી કેમ્પ સક્રિય છે, જેમાં જેશ-એ-મોહમ્મદના 9 કેમ્પ સક્રિય છે. અમેરિકામાં હાજર આ ભારતીય અધિકારી ઘ્વારા વોર્નિંગ આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના આતંકી હુમલા થવા પર ભારત તરફથી બાલાકોટ જેવો એક્શન લેવામાં આવી શકે છે. ભારત હવે કોઈ પણ પ્રકારની કાર્યવાહીથી પાછળ નહીં હટે.
આ પણ વાંચો: પાકિસ્તાને કર્યો 182 મદરેસા પર નિયંત્રણનો દાવો, 121 લોકોની થઈ ધરપકડ

પાકિસ્તાન આતંકનું કેન્દ્ર
26 જાન્યુઆરીએ બાલાકોટમાં જેશના સૌથી મોટા આતંકી કેમ્પ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમાં ઓછામાં ઓછા 350 આતંકીઓ માર્યા ગયા છે. તેની સાથે તે ટ્રેનર્સ પણ માર્યા ગયા છે જેઓ 14 ફેબ્રુઆરીએ પુલવામાં હુમલા પછી સુરક્ષિત જગ્યા માટે અહીં લાવવામાં આવ્યા હતા. અમેરિકામાં ભારતીય અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન દુનિયામાં આતંકનું કેન્દ્ર બની ચૂક્યું છે.

આતંકવાદીઓ પર પાકિસ્તાન નરમ
પોતાનું નામ નહીં જણાવવાની શરત પર આ અધિકારીએ અંગ્રેજી પેપર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં પાકિસ્તાન પર આરોપ લગાવ્યો. તેમને કહ્યું કે હાલમાં પાકિસ્તાનમાં 22 જેટલા આતંકી કેમ્પ ચાલી રહ્યા છે તેમ છતાં તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઇ રહી. અધિકારી અનુસાર આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવાને બદલે પાકિસ્તાને 26 જાન્યુઆરીએ થયેલી કાર્યવાહીમાં તણાવ વધારી દીધો અને યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરી દીધી.

પાકિસ્તાન દરેક હુમલાની કિંમત ચુકવશે
આ અધિકારી અનુસાર હવે જવાબદારી પાકિસ્તાનની છે કે તેઓ કેવી રીતે કાર્યવાહી કરે છે. જો પાકિસ્તાન નહીં સમજ્યું તો ભારત ફરી બાલાકોટ જેવી કાર્યવાહી કરવાથી પાછળ નહીં હટે અને પાકિસ્તાનની અંદર ચાલી રહેલા આતંકી અડ્ડાઓને તબાહ કરી દેશે. પુલવામાં હુમલા પછી ભારતે સાફ કરી દીધું છે કે તેઓ દરેક પ્રકારની આતંકી કાર્યવાહી સામે પગલાં લેશે અને પાકિસ્તાન દરેક હુમલાની કિંમત ચુકવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ
પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી અડ્ડાઓ પર બૉમ્બ વરસાવ્યા. ભારતીય વાયુસેનાએ મિરાજ 2000 ઘ્વારા આતંકીઓના ટ્રેનિંગ સેન્ટરને બરબાદ કરી દીધું. જયારે પાકિસ્તાની વિમાનો પણ ભારતીય સીમમાં ઘુસી આવ્યા. ત્યારપછી સતત બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. બોર્ડર વિસ્તાર પર સતત ગોળીબારી કરવામાં આવી રહી છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી











Click it and Unblock the Notifications
