સ્વતંત્રતા દિવસે પણ પાક.ની નાપાક હરકત, 3 જવાન ઘાયલ
જમ્મુ, 15 ઑગસ્ટ : આઝાદીની ઉજવણી વચ્ચે પાકિસ્તાને એકવાર ફરી સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આજે પાકિસ્તાનન તરફથી ભારતની ચોકિઓ અને રહેઠાણના વિસ્તારોને વારંવાર નિશાનો બનાવવામાં આવ્યા. જેમાં સેનાના ત્રણ જવાનો અને એક નાગરિક ઘાયલ થઇ ગયા. સેનાના પ્રવક્તાએ આ અંગેની જાણકારી આપી છે.
પાકિસ્તાને એલઓસી પર આજે સતત પાંચમાં દિવસે પણ તણાવભરેલી સ્થિતિ રહેતા જમ્મુ-કાશ્મીરમાં પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં એલઓસી પાસે આવેલી ચોકીઓ પર ફાયરિંગ કરી. પુંછમાં એક કરતા વધારે મહત્વની સરહદી ચોકીઓ પર અને રહેઠાણના વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં એક નાગરિક પણ ઘાયલ થયાના સમાચાર છે.
ઘાયલને નજીકની હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો. રક્ષા પ્રવક્તા એસ એન આચાર્યએ જણાવ્યું કે ગઇ કાલે રાત્રે 9 વાગ્યે પણ પાકિસ્તાની સૈનિકોએ પુંછના મેંધાર સબ સેક્ટરમાં એલઓસી પર ગોળીયો ચલાવી હતી. ભારતીય જવાનોની જવાબી કાર્યવાહી બાદ રાત્રે 11 વાગ્યા સુધી બંને તરથી ગોળીબાર થતો રહ્યો.