For Daily Alerts
ગુરૂદ્વારા સાહિબ પાસેના પ્લોટ પરથી મળ્યા 30 જીવતા બોમ્બ
પંજાબના લુધિયાણામાંથી જીવતા બોમ્બ મળી આવતાં ચારે બાજુ ભય ફેલાઇ ગયો છે. આ સાથે જ 2 રોકેટ લોન્ચર પણ મળી આવ્યા છે.
પંજાબ સ્થિત લુધિયાણા ના આલમગીર-માલેરકોટલા રોડ પર સ્થિત એક ખાલી પ્લોટમાંથી 30 જીવતા બોમ્બ અને 2 રોકેટ લોન્ચર મળી આવ્યા છે. સોમવારે સાંજે મળી આવેલા આ બોમ્બ બાદ સામાન્ય વ્યક્તિઓ સાથે પોલીસ પ્રસાશન પણ ચોંકી ઉઠ્યું છે. આટલી મોટી સંખ્યામાં બોમ્બ મળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અહીં વાંચો - પાકિસ્તાનમાં છપાઇ રહી છે 2000ની નકલી નોટો
ઉલ્લેખનીય છે કે, આ પ્લોટની નજીક જ ગુરુદ્વારા સાહિબ આવેલું છે. બોમ્બ મળ્યા બાદ પોલીસે પ્લોટના માલિકની પણ પૂછપરછ કરી હતી. આ મામલે આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આી હતી. બોમ્બ મળ્યાં બાદ પોલીસે આ વિસ્તારને સિલ કરી દીધો છે. સાથે જ આ અંગે સેનાને પણ સૂચિત કરવામાં આવી છે.
English summary
30 bombs and 2 rocket launcher recoverd from ludhiana, Punjab.
Story first published: Tuesday, February 14, 2017, 9:14 [IST]