Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં દર વર્ષે 3 લાખ નવજાત ભેટે છે મોતને

Newborn
નવી દિલ્હી, 7 મેઃ ભારતમાં દર વર્ષે જન્મ બાદ 24 કલાકમાં જ 3 લાખ કરતા વધુ નવજાત શિશુ મૃત્યુંને ભેટતા હોવાનો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે, અહેવાલ અનુસાર નવજાત શિશુનું મૃત્યુ ઇન્ફેક્શન અને અન્ય રોગના કારણે થાય છે.

તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ્સ મધર્સ રિપોર્ટના વાર્ષિક અહેવાલમાં વિશ્વભરની સરખામણીએ ભારતમાં 29 ટકા નવજાત શિશુનું મોત નીપજે છે. આ અહેવાલમાં 186 દેશોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે, વિશ્વમાં પ્રથમ દિવસે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા 40 ટકા છે તેમાંથી સાઉથ એશિયામાં 24 ટકા બાળકો મોતને ભેટે છે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પ્રથમ દિવસે મૃત્યું પામતા બાળકોની સંખ્યા વધારે છે. બન્ને દેશોમાં અનુક્રમે 28 હજાર અને 60 હજાર બાળકો કુપોષણના કારણે મૃત્યું પામે છે. સેવ ધ ચિલ્ડ્રન ચેરેટિ કે જેના દ્વારા આ અહેવા રજૂ કરવામાં આવ્યો છે, તેના રીજનલ ડિરેક્ટર માઇક નોવેલે કહ્યું છે કે, પ્રોગ્રેસ થઇ રહી છે, પરંતુ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જન્મના પ્રથમ દિવસે જ દરરોજ એક હજાર કરતા વધુ બાળકો મૃત્યું પામી રહ્યાં છે.

ચેરેટીએ ત્રણ મુખ્ય કારણો જાહેર કર્યા છે, જેના કારણે નવજાત શિશુનું મોત થાય છે, જેમાં જન્મ સમયે કૉમ્પ્લિકેશન, પ્રીમેચ્યોરિટી અને ઇન્ફેક્શન છે. અને લો કોસ્ટ, લાઇફ સેવિંગ ઇન્ટરવેન્શનને અપનાવવામાં આવે તો આ આંકડામાં 75 ટકા સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X