હાંડવાડામાં એન્કાઉન્ટર, સીઆરપીએફના 2 ઓફિસર સહીત ચાર જવાનો શહીદ
જમ્મુ કાશ્મીરના હાંડવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરના હાંડવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યારસુધીમાં 2 સીઆરપીએફ જવાન અને બે જમ્મુ કાશ્મીરના પોલીસ ફોર્સ જવાનો શહીદ થયા છે, જયારે એક સ્થાનીય નાગરિકની પણ મૌત થઇ ચુકી છે. જમ્મુ કાશ્મીરના હાંડવાડામાં બંને બાજુથી ગોળીબારી ચાલી રહી છે.
આ એન્કાઉન્ટરમાં 2 સીઆરપીએફ ઓફિસર અને જમ્મુ કાશ્મીર પોલીસના બે જવાનો શહીદ થયાની ખબર આવી છે, એક સ્થાનીય નાગરિકની મૌત થઇ ચુકી છે જયારે ચાર સ્થાનીય નાગરિકો ઘાયલ હોવાની માહિતી આવી રહી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે બાબાગુન્ડ વિસ્તારમાં સુરક્ષાબળો ઘ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આતંકીઓ ઘ્વારા જવાનો પર ફાયરિંગ કરી દેવામાં આવી. ત્યારપછી એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું, આ એન્કાઉન્ટરમાં 9 જવાનો ઘાયલ થયા છે.
The encounter between terrorists and security forces in Babagund, Handwara area enters third day. Two CRPF personnel and two Jammu and Kashmir police personnel have lost their lives so far. Operation underway. pic.twitter.com/D5rIaSC2Tw
— ANI (@ANI) March 3, 2019