નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના 5 નેતાઓને સમન, મંગળવારે હાજર થવા આદેશ!
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે ફરી EDએ કોંગ્રેસના પાંચ નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.
નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે ફરી EDએ કોંગ્રેસના પાંચ નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. કોંગ્રેસના આ પાંચ નેતાઓમાં અંજન કુમાર, મોહમ્મદ અલી શબ્બીર, ગીતા રેડ્ડી, સુદર્શન રેડ્ડી અને ગલી અનિલના નામ છે. EDએ આ તમામ નેતાઓને 4 ઓક્ટોબરે દિલ્હી હાજર થવા જણાવ્યું છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ અને સોનિયા ગાંધી યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર હતા ત્યારે આ નેતાઓએ તેમાં દાન આપ્યું હતું. જેની વિગતો માટે ઈડીએ આ નેતાઓને સમન્સ પાઠવ્યા છે.

અગાઉ 2 ઓક્ટોબરે EDએ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને કોંગ્રેસ પાર્ટીની માલિકીની નેશનલ હેરાલ્ડમાં ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. EDએ તેમને 7 ઓક્ટોબરે દિલ્હીમાં હાજર થવા જણાવ્યું છે. આ સમન એવા સમયે આવ્યું છે જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા કર્ણાટકમાં પ્રવેશી છે. શિવકુમાર યાત્રાના આ તબક્કાના સંચાલનમાં સામેલ છે. આ યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટકમાં પ્રવેશી છે.
EDએ હવે હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે તેલંગાણા અને આંધ્રપ્રદેશના કોંગ્રેસના કેટલાક નેતાઓને પણ સમન્સ જારી કર્યા છે. યંગ ઈન્ડિયન નેશનલ હેરાલ્ડ અખબારનું માલિક છે. ઓગસ્ટ મહિનામાં યંગ ઈન્ડિયનની ઓફિસ સીલ કરવાની સાથે ઈડીએ એક ડઝન જગ્યાએ દરોડા પાડ્યા હતા.
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પવન બંસલ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની પૂછપરછ કરી છે. આ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ઘણા દિવસો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. EDની કાર્યવાહી સામે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.












Click it and Unblock the Notifications
