દેશમાં 24 કલાકમાં 50407 નવા કેસ નોંધાયા, 1,36,962 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને નવા દર્દીઓની સંખ્યા 1 લાખથી નીચે નોંધાઈ છે.
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી : કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને નવા દર્દીઓની સંખ્યા 1 લાખથી નીચે નોંધાઈ છે. શનિવારના રોજ ડેટા જાહેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 50407 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 1,36,962 દર્દીઓ સાજા થયા છે.
આ સિવાય છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે 804 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ નવા આંકડા સાથે દેશમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,07,981 થઈ ગઈ છે.
કોરોનાની દૈનિક હકારાત્મકતા દર ઘટીને 3.48 ટકા થયો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સાજા થવાની ઝડપમાં વધારો થવાને કારણે દેશમાં સક્રિય કેસ અને હાલમાં સક્રિયકેસોમાં ઘટાડો થયો છે.
6,10,443 કેસ બાકી છે. આ ઉપરાંત, કોરોના વાયરસની દૈનિક હકારાત્મકતા દરમાં પણ ઘટાડો થયો છે અને હાલમાં આ આંકડો ઘટીને 3.48 ટકાપર આવી ગયો છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યોમાં કોરોના રોગચાળા સામે રસીકરણ અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, જેમાં અત્યારસુધીમાં રસીના કુલ 1,72,29,47,688 ડોઝ આપવામાં આવ્યા છે.
આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ છે
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના દસ્તક વચ્ચે દેશમાં સંક્રમણના કેસ ખૂબ જ ઝડપથી વધી ગયા હતા. જો કે, હવે મોટાભાગના રાજ્યોમાંકોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થવા લાગ્યો છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે પાંચ રાજ્યોમાં હાલમાં કોરોના વાયરસના સૌથી વધુ દૈનિક કેસ છે તેમાંકેરળ (16,012 કેસ), મહારાષ્ટ્ર (5,455), કર્ણાટક (3,976), તમિલનાડુ (3,086 કેસ) અને રાજસ્થાન (2,890 કેસ)નો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં મળી આવેલાકોરોના વાયરસના કુલ કેસોમાંથી 62.33 ટકા કેસ આ પાંચ રાજ્યોમાં નોંધાયા છે. તેમાંથી 31.77 ટકા કેસ એકલા કેરળમાં નોંધાયા છે.
ગુજરાતમાં 1646 નવા પોઝિટિવ કેસ નોંધાયા
ગુજરાતમાં 1646 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે કારણે કુલ 12 લાખને પાર થયા છે. અમદાવાદ શહેરમાંથી 546, સુરતમાં 116, વડોદરામાં 371 અને રાજકોટમાં 96પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ સાથે રાજ્યમાં 3955 લોકો કોરોના મુક્ત થયા છે. જે બાદ રાજ્યમાં કુલ 11,87,249 દર્દી સાજા થયા છે. આ સાથે રાજ્યમાં છેલ્લા 24કલાક દરમિયાન 20 દર્દીના મોત થયા છે.
જે બાદ કોરોનાને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 10795 થઇ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 15,972 છે.