દિલ્લી-મેરઠ એક્સપ્રેસવે પર સ્કૂલ બસ અને કારની ટક્કર, છ લોકોના દર્દનાક મોત
Ghaziabad Accident: ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક પાસે 11 જુલાઈ મંગળવારની સવારે એક દર્દનાક અકસ્માત થયો. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સ્કૂલ બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર છ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પહોંચેલી પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. વળી, આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ અકસ્માત દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ગાઝિયાબાદ જિલ્લાના ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ વિહાર પાસે થયો હતો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.
અકસ્માતનું કારણ વધુ ઝડપ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, ટક્કર એટલી ખતરનાક હતી કે અકસ્માત બાદ મૃતદેહો કારમાં જ ફસાઈ ગયા હતા. આ પછી કારમાં ફસાયેલા મૃતદેહોને કટર વડે ગેટ કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને કારમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થી ન હોવાનું જણાવાયું હતું. તે ખોટી દિશામાંથી આવી રહી હતી. આ મામલે ટ્રાફિક અધિકારીએ પણ પ્રતિક્રિયા આપી છે. પોલીસે જણાવ્યું કે આ મામલામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે.
ગાઝિયાબાદમાં ટ્રાફિક એડીસીપી આર.કે. કુશવાહાએ જણાવ્યુ કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સવારે લગભગ 6 વાગ્યે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. બસ ખોટી લેનમાં આવી રહી હતી. બસ ડ્રાઈવરની ભૂલ છે. બસના ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે.
સીએમ યોગી આદિત્યનાથના કાર્યાલય દ્વારા આ ઘટનાને ટ્વિટ કરવામાં આવી હતી. સીએમ યોગીના કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું - ગાઝિયાબાદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં થયેલ જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા, મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોની આત્માની શાંતિ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતાની કામના કરતા મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज ने जनपद गाजियाबाद में सड़क दुर्घटना में हुई जनहानि पर गहरा दुःख जताते हुए शोकाकुल परिजनों के प्रति अपनी संवेदनाएं व्यक्त की हैं।
— Yogi Adityanath Office (@myogioffice) July 11, 2023
महाराज जी ने दिवंगत आत्माओं की शांति और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करते हुए जिला प्रशासन के…
તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે બપોરે યુપીના પ્રતાપગઢ જિલ્લાના લીલાપુરમાં ટેન્કર સાથે અથડામણમાં ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા આઠ લોકોના મોત થયા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
