આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં બસ ખાઈમાં પડતા અકસ્માત, 7ના મોત, 45 ઘાયલ!
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં ગત રાત્રે બસ અકસ્માત થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 45 લોકો ઘાયલ થયા હતા.
હૈદરાબાદ, 27 માર્ચ : આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં ગત રાત્રે બસ અકસ્માત થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 45 લોકો ઘાયલ થયા હતા. તિરુપતિ એસપીએ જણાવ્યું કે ડ્રાઈવરની બેદરકારીને કારણે બસ ઊંડી ખીણમાં પડી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માત તિરુપતિથી 25 કિમી દૂર બાકપેટા ખાતે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અહેવાલ મુજબ, તે એક ખાનગી બસ હતી જેમાં 52 જાનૈયાઓ સવાર હતા. આ લોકો ધર્માવરમથી અનંતપુર જિલ્લાના ગારી ગામ જઈ રહ્યા હતા જે ચિત્તૂર સ્થિત છે. બસ ઘાટ રોડથી આગળ જઈ રહી હતી ત્યારે અડુપુટપી પાસે અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. પરંતુ મોડી રાત્રીના અકસ્માતને કારણે રાત્રીના સમયે અંધારપટ છવાતા બચાવ અને રાહત કામગીરી ખોરવાઈ હતી. જેના કારણે સવારે પણ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આવા દુર્ગમ રસ્તાઓ પર અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે. જેના કારણે અત્યારસુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
