મધ્ય પ્રદેશમાં ભીષણ માર્ગ અકસ્માત, 3 બાળકો સહિત 8ના મોત
મધ્ય પ્રદેશના છતરપુરમાં પન્ના રોડ પર એક સ્કૉર્પિયોએ 3 બાઈકને ટક્કર મારી દીધી ત્યારબાદ પલટી ગઈ.
ભોપાલઃ મધ્ય પ્રદેશના છતરપુરમાં પન્ના રોડ પર એક સ્કૉર્પિયોએ 3 બાઈકને ટક્કર મારી દીધી ત્યારબાદ પલટી ગઈ. દૂર્ઘટનામાં બાળકો સહિત આઠ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. મૃતકોમાં સાત સ્કૉર્પિયો સવાર છે. જ્યારે એક બાઈક સવારનો જીવ ગયો. મૃતકોમાં 3 બાળકો પણ શામેલ છે. દૂર્ઘટના બમીઠા પોલિસ સ્ટેશન ક્ષેત્રના ચંદ્રનગર ચોકી પાસે જખીરા ટેક પાસે બની. સૂચના મળતા જ બમીઠા પોલિસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવા આવ્યા.
માહિતી મુજબ કાર ખૂબ જ ઝડપથી આવી રહી હતી અને ત્રણ બાઈકને ટક્કર માર્યા બાદ તે રસ્તા પરથી નીચે ઉતરીને પલટી ગઈ. ઘટનામાં મરનારના નામ હજુ સામે આવ્યા નથી. જેણે આ ઘટના જોઈ તેના રૂંવાડા ઉભા થઈ ગયા. રસ્તા પર લાશો પડી હતી, કોઈ રીતે શબોને ઉઠાવીન પોસ્ટમોર્ટમ માટે મોકલાયા.
Madhya Pradesh: 8 people killed in a collision between 3 motorbikes and a car on Panna road in Chandranagar.
— ANI (@ANI) July 27, 2020
મુંબઈમાં ભારે વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિક જામ, 24 રૂટ પર બસો કરાઈ ડાયવર્ટ