હિમાચલમાં વરસાદનો કહેર, અત્યાર સુધી 88 લોકોના ગયા જીવ, કિન્નોરમાં NDRFએ 28 લોકોને બચાવ્યા
Himachal Pradesh Rains: હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો વરસાદ કહેર વરસાવી રહ્યો છે. મનાલી, મંડી, કિન્નૌર સહિત ઘણા પહાડી જિલ્લાઓમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે રસ્તાઓ, પુલો અને મકાનોને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 88 લોકોના મોત થયા છે.
હિમાચલ પ્રદેશમાં વિનાશ અંગે રાજ્ય સરકારે કહ્યું કે વરસાદને કારણે અત્યાર સુધીમાં 88 લોકોએ જીવ ગુમાવ્યા છે, 16 ગુમ છે અને 100 ઘાયલ થયા છે. રાજ્યભરમાં 492 પશુઓના પણ મોત થયા છે.

NDRFના સંયુક્ત બચાવ અભિયાનમાં કિન્નરના કારા વિસ્તારમાં ફસાયેલા 28 પશુપાલકો/ટ્રેકર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. NDRFએ જણાવ્યું કે પાણીનું સ્તર વધવાને કારણે 11 લોકો કફનુ ગામથી 15 કિમી દૂર ફસાયા છે. 12 જુલાઈના રોજ, NDRF ઈન્સ્પેક્ટર પ્રેમ કુમાર નેગીની આગેવાની હેઠળની સંયુક્ત બચાવ ટીમે તમામ 28 લોકોને સફળતાપૂર્વક બચાવ્યા હતા.
આ સાથે જ હિમાચલ પ્રદેશના કાર્યકારી ડીજીપી સતવંત અટવાલ ત્રિવેદીએ સ્થાનિક લોકો અને પ્રવાસીઓને બચાવવા માટે રાજ્યમાં ચાલી રહેલી કામગીરી વિશે માહિતી આપી હતી.
#WATCH | NDRF's Joint Rescue Ops saved 28 stranded shepherds/trekkers from Kinnaur, Himachal Pradesh's Kara area. Due to rising water levels, 11 people were trapped 15 kilometres from Kafnu village. On July 10th, the NDRF team, along with ITBP and Home Guard personnel, embarked… pic.twitter.com/e8Ns5CNQ9A
— ANI (@ANI) July 12, 2023
તેમણે માહિતી આપી હતી કે ચંદીગઢ જવાના રસ્તે 5,500 થી વધુ વાહનો મંડી પાર કરી ચૂક્યા છે. આઉટમાં ફસાયેલા વાહનોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. કસોલના 2000 થી વધુ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
સિસુમાં ફસાયેલા પ્રવાસીઓને તાલિંગ ગામ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા, 150 થી વધુ વાહનો અટલ ટનલ પાર કરી ચૂક્યા છે. ફસાયેલા લોકોને બચાવવા માટે મોટી રેસ્ક્યુ ટીમ ચંદ્રતાલ ગઈ છે. તેમણે જણાવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, કુલ્લુમાંથી અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
Himachal Pradesh | 88 people have lost their lives, 16 missing and 100 injured due to rains in the state. 492 animals have died across the state: State Government pic.twitter.com/NpyX9owtnm
— ANI (@ANI) July 12, 2023
ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રસ્તાઓ પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ ખુલ્લા છે જ્યાંથી અમારો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં અમે 1500 પરિવારોનો સંપર્ક કર્યો છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
