એક પુસ્તક જે આજે બજારમાં આવશે, પણ એ પહેલા જ રચી ચૂક્યું છે ઇતિહાસ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની ઐતિહાસિક યાત્રા વિશે જણાવતું પુસ્તક 'ધ્યાન યાત્રા', જે બે ભાગમાં પ્રકાશિત થઈ રહ્યું છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની ઐતિહાસિક યાત્રા વિશે જણાવતું પુસ્તક 'ધ્યાન યાત્રા', જે બે ભાગમાં પ્રકાશિત થઈ રહ્યું છે, તેનું શુક્રવારે ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે દ્વારા વિમોચન કરવામાં આવશે, પરંતુ ઈવેન્ટ પહેલા વેચાણ માટે એડવાન્સ બૂકિંગના મામલામાં પુસ્તકે નવો ઈતિહાસ રચ્યો છે.
|
બૂકે પ્રી બૂકિંગમાં રેકોર્ડ બનાવ્યો
ઉલ્લેખનીય છે કે, પુસ્તકના વિમોચન પહેલા 28 ફેબ્રુઆરીથી 27 માર્ચ સુધી શરૂ થયેલા 28 દિવસના અભિયાન દરમિયાન 1,29,307 પુસ્તકોનું રેકોર્ડ બૂકિંગ નોંધાયું હતું,જે પોતાનામાં કોઈ પણ પુસ્તકના પ્રી બૂકિંગનો નવો રેકોર્ડ છે. એબીવીપીના ભૂતપૂર્વ કાર્યકરો અને યુનિવર્સિટીના શિક્ષકો સહિત સમાજના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓએઆ પુસ્તકનું પ્રી બૂક કર્યું છે.
|
પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કોણ કોણ હાજર રહેશે?
ઉલ્લેખનીય છે કે, એબીવીપીના પુસ્તકના વિમોચન પ્રસંગે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા, સંઘના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર અને એબીવીપીના વર્તમાનરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. છગન ભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં ABVPના તમામ પૂર્વ રાષ્ટ્રીય પદાધિકારીઓ પણ હાજર રહેશે.
|
ABVPનો 75 વર્ષનો ઈતિહાસ
ABVP આ વર્ષે તેના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને આ પુસ્તક 75 વર્ષના સુવર્ણ ઇતિહાસ વિશે જણાવે છે. દેશના પ્રતિષ્ઠિત હોદ્દા પર રહેલા ભૂતપૂર્વ કાર્યકરોસહિત ABVPના ઘણા ભૂતપૂર્વ કાર્યકરો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
કેન્દ્ર સરકારના અગ્રણી મંત્રીઓ, અનેક યુનિવર્સિટીઓના વીસી અને સામાજિક ક્ષેત્રના મોટાનામો કે જેઓ એબીવીપીની યાત્રાનો ભાગ રહ્યા છે, તે આ કાર્યક્રમમાં હાજર રહેશે.
ABVPના રાષ્ટ્રીય મહાસચિવ નિધિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ ક્ષણ આપણા બધા માટે ઐતિહાસિક બનવાની છે. એબીવીપીએ ઘણા લોકોને તૈયાર કર્યા છે અનેતેમને દેશ અને સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપી છે.
આ પુસ્તક એક વાઇબ્રન્ટ વિદ્યાર્થી ચળવળનો ગ્રંથ છે, જે લાખો કાર્યકરોની વાર્તા વર્ણવશે. દેશના તમામપ્રાંત કેન્દ્રો પર વર્તમાન કાર્યકરોને કાર્યક્રમના જીવંત પ્રસારણ સાથે જોડવામાં આવશે.