બંગાળીઓ પર ટિપ્પણી મુદ્દે પરેશ રાવલ સામે કોલકત્તામાં દાખલ થયો કેસ
બંગાળીઓ પર કથિત ટિપ્પણી અંગે ભાજપ નેતા અને અભિનેતા પરેશ રાવલ ફસાયા છે. આ અંગે કોલકત્તા પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસ સીપીઆઇ(એમ) પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ એમડી સલીમની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો છે.
બંગાળીઓ પર કથિત ટિપ્પણી અંગે ભાજપ નેતા અને અભિનેતા પરેશ રાવલ ફસાયા છે. આ અંગે કોલકત્તા પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસ સીપીઆઇ(એમ) પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ એમડી સલીમની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એમડી સલીમે પરેશ રાવલ વિરૂદ્ધ તેમના બંગાળીઓના નિવેદન બદલ કોલકત્તામાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે.
સીપીઆઈ(એમ) પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ એમડી સલીમે આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલની ટિપ્પણીને ઉશ્કેરણીજનક છે. તારાટોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં સલીમે જણાવ્યું હતું કે, તેણે એક વીડિયો જોયો જેમાં અભિનેતા પરેશ રાવલને ભાષણ આપતા બતાવવામાં આવ્યા છે, જે બંગાળીઓ વિરુદ્ધ નફરતની લાગણીઓને પ્રોત્સાહન આપી શકે છે.
અભિનેતાનું નિવેદન રમખાણો ભડકાવી શકે છે. આ ઉપરાંત તે બંગાળી અને અન્ય સમુદાયો વચ્ચેની સંવાદિતાને નષ્ટ કરી શકે છે.
તારાટોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સલીમે વધુમાં જણાવ્યું હતું કે, બંગાળીઓ મોટી સંખ્યામાં રાજ્યની સીમાની બહાર રહે છે. મને આશંકા છે કે, પરેશ રાવલ દ્વારા કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણીઓને કારણે તેમાંથી ઘણાને પૂર્વગ્રહ અને અસર થશે.
ઉલ્લેખનીય છે કે, કોલકાતા પોલીસે પરેશ રાવલ વિરુદ્ધ IPCની કલમ 153, 153A, 153B, 504 અને 505 હેઠળ કેસ નોંધ્યો છે. અત્રે નોંધનીય છે કે, પરેશ રાવલે બાદમાં તેમની ટિપ્પણી પર વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને માફી માંગી હતી.
પરેશ રાવલે શું કહ્યું હતું?
પરેશ રાવલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા સમયે વલસાડ ભાજપની ચૂંટણી રેલી દરમિયાન જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેના ભાવ ઘટશે. લોકોને રોજગારી પણ મળશે, પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારા અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો? રાવલના આ નિવેદન બાદ તેમને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.