ઓરિસ્સા આસપાસ તોફાની હલચલ શરૂ, IMDએ કહી આ મોટી વાત

કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલ ભારતમાં એક પછી એક કુદરતી આફતોએ પણ કહેર વરસાવ્યો છે.

કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલ ભારતમાં એક પછી એક કુદરતી આફતોએ પણ કહેર વરસાવ્યો છે. અમ્ફાન અને નિસર્ગ તોફાનની માર સહન કરી ચૂકેલ ઓરિસ્સાના સમુદ્રમાં ઉઠી રહેલ ચક્રવાતી લહેરો મુશ્કેલી ઉભી કરી શકે છે. વાસ્તવમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓરિસ્સાના આંતરિક વિસ્તારો અને આસપાસના વિસ્તારોમા સમુદ્રી વિસ્તારોમાં 2.1 કિમીથી 5.8 કિમી વચ્ચે દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકાવવાળુ ચક્રવાત બનતુ દેખાઈ રહ્યુ છે.

ઓરિસ્સાની આસપાસ તોફાની હલચલ શરૂ

ઓરિસ્સાની આસપાસ તોફાની હલચલ શરૂ

જ્યારે સમુદ્ર તળ પર બનેલ ટ્રફ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી લઈને, ઉત્તર મધ્ય પ્રદેશ, છત્તીસગઢની ઉત્તરી ભાગો, ઝારખંડના દિક્ષણ ભાગો અને ઓરિસ્સાના ઉત્તરી ભાગોમાં બંગાળની ઉત્તર-પશ્ચિમી ખાડી સુધી જાય છે અને સમુદ્ર તળથી 1.5 કિમી ઉપર સુધી છે. હાલમાં તેની સ્થિતિ આગામી 2 દિવસો સુધીમાં જ સ્પષ્ટ થઈ જશે. હાલમાં હવામાન વિભાગની નજર આ હલચલ પર છે.

તોફાન અમ્ફાને જબરદસ્ત વિનાશ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં આવેલ ચક્રવાતી તોફાન અમ્ફાને જબરદસ્ત વિનાશ કર્યો હતો. આ તોફાનના કારણે પશ્ચિમ બંગાળમાં 85 લોકોના મોત થયા હતા અને કરોડોનુ આર્થિક નુકશાન પણ થયુ હતુ. બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે આ કોરોનાથી પણ ભારે તોફાન હતુ. જેણે રાજ્યને ઘણુ નુકશાન પહોંચાડ્યુ હતુ. હવામાન વિભાગે આને 21 વર્ષમાં આવેલુ સૌથી ભયંકર વાવાઝોડુ માન્યુ હતુ. 1999માં આવેલા તોફાન બાદ આ પહેલુ સુપર સાયક્લોન હતુ.

વાવાઝોડા નિસર્ગથી પણ થયુ મોટુ નુકશાન

વળી, જૂના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા નિસર્ગે પણ ઘણો વિનાશ કર્યો હતો. 2 જૂને આ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય વિસ્તારોમાં ઝડપી પવન સાતે વરસાદ થયો હતો. આ તોફાન મુંબઈ પણ પહોંચ્યુ હતુ અને ઘણા ઘરોમાં વૃક્ષોને નુકશાન થયુ હતુ. આમાં ત્રણ વ્યક્તિના મોત પણ થયા હતા. વિભાગે કહ્યુ કે છેલ્લા સવાસો વર્ષોમાં મુંબઈમાં આવેલુ આ સૌથી ભયંકર તોફાન હતુ. નિસર્ગના કારણે મહારાષ્ટ્ર, ગોવા-કોંકણ અને ગુજરાતમાં ઘણો વરસાદ થયો જેની અસર એમપી પર પણ થઈ, ત્યાં પણ બે દિવસ ઘણો વરસાદ થયો હતો.

કેમ આવે છે વાવાઝોડુ

કેમ આવે છે વાવાઝોડુ

પૃથ્વીના વાયમંડળમાં હવા હોય છે, સમુદ્રની ઉપર પણ જમીનની જેમ જ હવા હોય છે, હવા હંમેશા ઉચા દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્ર તરફ વહે છે. જ્યારે હવા ગરમ થઈ જાય છે ત્યારે તે હલકી થઈ જાય છે અને ઉપર જવા લાગે છે. જ્યારે સમુદ્રનો પાણી ગરમ થાય છે ત્યારે આની ઉપર હાજર ગરમ હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે. આ જગ્યાએ નીચા દબાણનુ ક્ષેત્ર બનવા લાગે છે. આસપાસ હાજર ઠંડી હવા આ નીચા દબાણવાળા ક્ષેત્રને ભરવા માટે આ તરફ વધવા લાગે છે પરંતુ પૃથ્વી પોતાની ધરી પર લટ્ટુની જેમ ફરે છે. આ કારણે આ હવા સીધી દિશામાં ન જઈને ફરવા લાગે છે અને ચક્કર લગાવીને આ જગ્યા તરફ આગળ વધે છે આને વાવાઝોડુ કહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X