મણીપુરના જંગલોમાં લાગી ભિષણ આગ, ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે કરી વાત
મણિપુર અને નાગાલેન્ડની સરહદ પર સ્થિત દાજુકોઉ ખીણમાં ભારે આગ લાગી છે. જેના કારણે જંગલને નુકસાન થઈ રહ્યું છે, હજારો પ્રાણીઓના મોતની પણ અપેક્ષા છે. આગ એટલી ભયંકર છે કે તે ત્યાંથી દૂર આવેલા કોહિમાથી પણ સ્પષ્ટપણે દેખાય છે.
મણિપુર અને નાગાલેન્ડની સરહદ પર સ્થિત દાજુકોઉ ખીણમાં ભારે આગ લાગી છે. જેના કારણે જંગલને નુકસાન થઈ રહ્યું છે, હજારો પ્રાણીઓના મોતની પણ અપેક્ષા છે. આગ એટલી ભયંકર છે કે તે ત્યાંથી દૂર આવેલા કોહિમાથી પણ સ્પષ્ટપણે દેખાય છે. રાજ્ય સરકાર આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. દરમિયાન શુક્રવારે કેન્દ્ર સરકારે પણ આગને કાબૂમાં લેવામાં તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. વળી, એરફોર્સના હેલિકોપ્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેનસિંહે શુક્રવારે સવારે ટિ્વટ કર્યું હતું કે તેમને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો હમણાં જ ફોન આવ્યો હતો. તેણે દાજુકોઉ ખીણમાં લાગેલી આગ વિશે વિગતવાર પૂછપરછ કરી. તેમજ ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર જંગલની આગને દૂર કરવામાં દરેક રીતે મદદ કરશે. વળી, ગૃહ મંત્રાલયની એક ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારની સૂચનાથી જ ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરોએ મોર્ચો સંભાળી લીધો છે, જ્યાં પાણીના છાંટાની સાથે લોકોને અને પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન બિરેન સિંહના જણાવ્યા મુજબ, આ સમયે જંગલોમાં ઘાસ સુકાઈ ગયું હતું. આ ઉપરાંત જોરદાર પવન આગને વધુ ફેલાવી રહ્યા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો જરૂરી સાધનો ન હોવાને કારણે આગને કાબૂમાં લેવા જંગલમાં પ્રવેશ કરી શકતા નથી. તે જ સમયે, પવનથી પરિસ્થિતિ વધુ વણસી છે. મુખ્યમંત્રીના મતે આ આગ ત્રણ-ચાર દિવસ પહેલા નાગાલેન્ડ તરફ શરૂ થઈ હતી, પરંતુ પવનને કારણે તે મણિપુરના જંગલોમાં પહોંચી ગઈ. મુખ્ય પ્રધાન બિરેન સિંઘ આ મામલે ખૂબ ગંભીર છે અને તેઓ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા માહિતી લોકોને શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો: કોરોના કાળમાં વધી પીએમ મોદીની લોકપ્રિયતા, દુનિયાભરમાં સૌથી વધુ સ્વીકાર્ય નેતાઃ સર્વે