કોંગ્રેસ નેતાઓની બેઠક હવે 15 જુલાઈએ યોજાશે, સોનિયા ગાંધી નેતૃત્વ કરશે
છેલ્લા કેટલાક સમયથી જે રીતે કેન્દ્ર સરકારની દાદાગીરી વધી રહી છે અને રાહુલ ગાંદીની લોકસભાની સદસ્યતા લઈ લેવાઈ છે તેને લઈને સંસદના આવનારા સત્રમાં હંગામાના પુરા આસાર છે. આ માટે કોંગ્રેસે 15 જુલાઈએ તેના તમામ મોટા નેતાઓની બેઠક બોલાવી છે.
કોંગ્રેસે પહેલાથી સંસદના ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના મોટા નેતાઓ વ્યૂહરચના ઘડવા માટે સંસદ સત્રની શરૂઆત પહેલા સોનિયા ગાંધીના નિવાસસ્થાને બેઠક કરશે.

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકારની ઘેરાવની રણનીતિ અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સંસદમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવા આ બેઠક બોલાવી છે. કોંગ્રેસની આ બેઠક પહેલા 16 જુલાઈએ યોજાવાની હતી પરંતુ તેને રિશિડ્યુઅલ કરાઈ છે અને 15 જુલાઈએ યોજાવા જઈ રહી છે.
આ બેઠક હવે 15 જુલાઈએ રિશેડ્યૂલ કરાઈ છે. અગાઉ 16 જુલાઈએ સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠક યોજાવાની હતી. આ બેઠકમાં કોંગ્રેસના તમામ મોટા નેતા હાજર રહેશે.
Congress Parliamentary strategy group meeting to be held on July 16 at Congress Parliamentary Party Chairperson Sonia Gandhi's residence to discuss the strategy and issues to be raised in the Upcoming Monsoon Session of Parliament. pic.twitter.com/d6JEKEj1qK
— ANI (@ANI) July 12, 2023
અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની સંસદ સભ્યતા ગુમાવ્યા બાદ સંસદના ચોમાસુ સત્રમાં મોંઘવારી મુદ્દે ભારે હોબાળો થવાની સંભાવના છે. આ ઉપરાંત અનેક મુદ્દાઓ પર સંસદમાં સરકારને ઘેરવાની તૈયારી ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
