મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મહા વિકાસ અઘાડીની બેઠક મળી, સીટોની વહેંચણી પર કોણે શું કહ્યું?
કર્ણાટકમાંથી બીજેપીનો કાંટો કાઢ્યા બાદ હવે વિપક્ષી પાર્ટીઓ 2024માં બીજેપીને કેન્દ્રમાંથી ઉતારવા માટે એક મંચ પર આવી રહી છે. આ ક્રમમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની બેઠક યોજાઈ હતી.
રવિવારે યોજાયેલી મહા વિકાસ અઘાડી ગઠબંધનની બેઠકમાં સંજય રાઉતે બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં આંતરિક રીતે કોઈ ગેરસમજ નથી.

સંજય રાઉતે કહ્યું કે, જો કર્ણાટકમાં 40% ભ્રષ્ટાચાર છે તો મહારાષ્ટ્રમાં 100% ભ્રષ્ટાચાર છે. સંજય રાઉતે કહ્યું કે, વર્તમાન સરકાર ભ્રષ્ટ છે અને તે હારશે. તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના પ્રશ્નનો પણ જવાબ આપ્યો.
મહાવિકાસ અઘાડી ગઠબંધનના નેતાઓના વિરોધાભાસી નિવેદનોને કારણે ગઠબંધન જોખમમાં હોવાના અહેવાલો આવી રહ્યા હતા. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે MVA ટૂંક સમયમાં તૂટી જશે.
જો કે તેનાથી વિપરીત અઘાડીમાં સામેલ પક્ષો ફરી એક થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષોની આ બેઠક ગઠબંધન તૂટવાની અટકળો વચ્ચે એકતા દર્શાવવા માટે યોજાઈ હોઈ શકે છે.
આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, શરદ પવાર, નાના પટોલે, અજિત પવાર, બાળાસાહેબ થોરાટ અને ગઠબંધનના અન્ય નેતાઓ હાજર હતા. મીટિંગ બાદ સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા સ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી પણ સુમેળભરી રીતે કરવામાં આવશે.
સંજય રાઉતે કહ્યું કે, સીટ વહેંચણી અંગેની ચર્ચા આગામી દિવસોમાં ચોક્કસ થશે. આજે પ્રાથમિક ચર્ચા થઈ છે. બેઠકોની વહેંચણી અંગેની ચર્ચા આગામી દિવસોમાં થશે. ત્રણમાં કોઈ મતભેદ નથી. બેઠકોની વહેંચણી ખૂબ જ સુમેળભરી રીતે થશે.
બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, કર્ણાટકની જનતાએ કોંગ્રેસને પસંદ કરી છે. આ દર્શાવે છે કે તે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વિરુદ્ધ છે. મહારાષ્ટ્રમાં ભ્રષ્ટ સરકાર છે તો આવનારી ચૂંટણીમાં મહારાષ્ટ્ર પણ જીતશે. જે પણ કર્ણાટકના મુખ્યમંત્રી બનશે અમે તેને પૂણેમાં યોજાનારી વજ્રમુથ રેલીમાં મદદ કરીશું.












Click it and Unblock the Notifications
