પીએમ મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક, ભવિષ્યની યોજનાપર થઇ શકે છે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ઓડિટોરિયમમાં મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. જોકે, બેઠકનો એજન્ડા કન્ફર્મ થયો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં નીતિઓ અને યોજનાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ઓડિટોરિયમમાં મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. જોકે, બેઠકનો એજન્ડા કન્ફર્મ થયો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં નીતિઓ અને યોજનાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના ઘણા મંત્રીઓએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં હાજરી આપી છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી આ બેઠકમાં મંત્રીઓને સરકારની નીતિઓ લોકો સુધી લઈ જવા માટે કહી શકે છે. આ ઉપરાંત, જુનિયન મંત્રીઓને નીતિ નિર્માણ અને મંત્રી કાર્યમાં સક્રિયપણે ભાગ લેવાની સૂચના પણ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે મંત્રીઓને તેમના કામ અંગે પ્રશ્નો અને જવાબ કરી શકાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી મંત્રીઓને સરકારની નીતિઓ જનતા સમક્ષ લાવવાની સૂચના આપી શકે છે. સૂત્રોએ કહ્યું કે પીએમ મોદી જુનિયર મંત્રીઓને નીતિ નિર્માણ અને મંત્રી કાર્યોમાં સક્રિય ભાગ લેવા માટે પણ કહી શકે છે.