અહેમદ પટેલના નિધનથી દુઃખી સંજય રાઉતે કહ્યુ - વફાદારી કોઈ તેમનાથી શીખે
શિવસેના સાંસદ સંજય રાઉતે અહેમદ પટેલના નિધન પર શોક પ્રગટ કર્યો.
નવી દિલ્લીઃ 71 વર્ષીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધુ. એક લાંબુ પરંતુ લો-પ્રોફાઈલ રાજકીય સફર પસાર કરનાર અહેમદ પટેલના નિધનથી માત્ર કોંગ્રેસી જ નહિ પરંતુ બીજા પક્ષોના લોકો પણ ખૂબ વધુ દુઃખી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે અહેમદ પટેલના નિધન પર શોક પ્રગટ કરીને કહ્યુ કે બે દિવસ પહેલા જ હું અહેમદ પટેલના પરિવારને મળ્યો હતો અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ તેમના પરિવાર સાથે વાત કરી હતી.

હું તેમના પરિવારવાળાને અહેમદ પટેલને એર એમ્બ્યુલન્સથી મુંંબઈ આવવા માટે પણ કહ્યુ હતુ, ખબર નહોતી કે બે દિવસ બાદ અહેમદ પટેલ જતા રહેશે. રાઉતે કહ્યુ કે આજે કોંગ્રેસે પોતાનો મજબૂત સ્તંભ ગુમાવી દીધો છે. આ પાર્ટીની બહુ મોટી ખોટ છે. બધા કાર્યકર્તાઓ અને રાજનીતિજ્ઞોને અહેમદ પટેલ પાસેથી વફાદારી શીખવી જોઈએ, તે ખૂબ જ શાંત, ધીરજવાન અને સમજદાર નેતા હતા. તેમનુ જવુ ખૂબ દુઃખદ છે. હું તેમના આત્માની શાંતિ માટે ઉપરવાળાને પ્રાર્થના કરુ છુ.
અહેમદ પટેલે મેદાંતા હોસ્પટલમાં લીધા અંતિમ શ્વાસ
તમને જણાવી દઈએ કે બુધવારે સવારે અહેમદ પટેલ મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને 15 નવેમ્બરથી મેદાંતામાં ભરતી હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન પર બુધવારે શોક વ્યક્ત કર્યો અને કહ્યુકે તે સૌમ્ય અને મિલનસાર વ્યક્તિત્વના કારણે દરેક રાજકીય દળમાં તેમના મિત્ર હતા. વળી, પીએમ મોદીએ પણ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરીને ટ્વિટ કર્યુ કે અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છુ. તેમણે સાર્વજનિક જીવનમાં ઘણા વર્ષો સમાજ સેવામાં વીતાવ્યા. પોતાના તેજ દિમાગ માટે જાણીતા અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા માટે હંમેશા યાદ કરવામાં આવશે.
અહેમદ પટેલના અંતિમ સંસ્કાર તેમના ગામમાં
તમને જણાવી દઈએ કે અહેમદ પટેલના અંતિમ સંસ્કાર તેમના ગામમાં થશે. ગુજરાતના ભરૂચ જિલ્લાના પીરામલ ગામના તેઓ રહેવાસી છે. પરિવારે જણાવ્યુ કે તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર તેમના ગામમાં થાય. તેમના દીકરાએ માહિતી આપીને બધા શુભચિંતકોને સામૂહિક સમારંભથી બચવાની અપીલ કરી છે. અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસ પાર્ટીનો ઝંડો 3 દિવસ સુધી ઝૂકેલો રહેશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
