આમ આદમી પાર્ટીનું એમડીસીની ચૂટણીમાં બુલડોજર રાજકારણનો કરશે વિરોધ
જ્હાગીરપુરામાં બુલડોજર દ્વારા તોડફોડ કરવામાં આવ્યાના એક મહિના દ સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ શાસિત કોર્પોરેશનના તોડફોડ અભિયાનનો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટી
જ્હાગીરપુરામાં બુલડોજર દ્વારા તોડફોડ કરવામાં આવ્યાના એક મહિના દ સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ શાસિત કોર્પોરેશનના તોડફોડ અભિયાનનો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટી મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી આવી છે. આપ ત્રણ વર્ષથી ભાજપ વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતી આવી છે. આ આરોપોનો સામનો કરવા માટે ભાજપ દ્વારા નગરપાલિકાની બોડીને એક કરવાનો નિર્ણય લીધો હતો. અરવિંદ કેજરીવાલને દિલ્હી માહાનગર પાલિકની ચૂંટણીમાં એવા રણનીતિની જરૂર હતી. કે જેમા દિલ્હી ભાજપનો મુકાબલો કરી શકે, આપ હવે એમસીડી ચૂંટણીમાં ભાજપને બુલડોઝર રાજનીતિમાં પર ઘેરવાનો પ્રયાસ કરશે.
બુલડોજર રાજનીતિ પર અરવિંદ કેજરીવાલ પગલા લેતા પહેલા વિચાર કરતા હતા. લોકોને એ પણ નહોતી ખબર કે દિલ્હીમાં અતિક્રમણ વિરોધી અભિયાનમા ભાજપની શુ રણનીતિ છે. બુલડોજર અભિયાન જહાંગીરપુરામા ના અટક્યુ તેનાથી સ્પષ્ટ થઇ ગયુ કે, અતિક્રણ વિરોધી અભિયાન ભાજપના એક ગેમ પ્લાનનો હિસ્સો હતો.
મનિષ સિસોદિયાએ સૌથ પહેલા શાબ્દીક હુમલો કર્યો હતો. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ અભિયાનનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ કેજરીવાલ અને પક્ષના ધારાસભ્યોએ સાથે મળીને એક્શન પ્લાન પર નિર્ણય લીધો કેજરીવાલે પોતાના ધારાસભ્યોને આ બુલડોજર અભિયાનનો વિરોધ કરવા માટે જણાવ્યુ હતુ.જહાંગીરપુરાના દિવસ આપ પાર્ટીના કોઇ નેતા કે સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળની મુલાકાતે નહોતા ગયા. ઘટનાના 24 કલાક બાદ ધારાસભ્યો ત્યાં પહોચ્યા હતા.
ભાજપ શાસિત એમસીડીનો કાર્યકાલ 18 મે કોડ પુરો થઇ ગયો છે. હવે અરવિંદ કેજરીવાલે પ્રચારનો બ્યુગલ ફુકી દિધો છે. તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂટણીનો સામનો કરવો જોઇએ તેમના નિવેદનના 24 કલાક બાદ એમસીડી પાસેથી તોડફોડની રિપોર્ટ માંગી હતી.