સલમાન ખુર્શીદ વિરૂદ્ધ 'આપ'ના ઉમેદવારે મેદાન છોડ્યું
નવી દિલ્હી, 31 માર્ચ: લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર ચૂંટણીનું મેદાન છોડવાનો સિલસિલો ચાલુ છે. ગત અઠવાડિયે બે ઉમેદવારોએ મેદાનમાંથી પાછી પાની કર્યા બાદ સોમવારે ફર્રુખાબાદથી 'આપ'ના ઉમેદવાર મુકુલ ત્રિપાઠીએ ટિકીટ પરત આપી. મુકુલ ત્રિપાઠી પાર્ટી અને નેતાઓ પર સહયોગ કરવાનો આરોપ લગાવતાં મેદાનમાંથી પાછી પાની કરી ગયા છે. મુકુલ ત્રિપાઠી ઉત્તર પ્રદેશથી 'આપ'ના પાંચમા ઉમેદવાર છે, જેમણે ટિકીટ પરત આપી દિધી હોય.
મુકુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે સ્થાનિક નેતા સહયોગ કરી રહ્યાં નથી, જ્યારે કેન્દ્રિય નેતા ફોન સુધી ઉપાડતા નથી. તેમણે કહ્યું હતું કે હું ઘણીવાર સંજય સિંહને ફોન કર્યો પરંતુ તેમણે માની વાત પણ સાંભળી નહી. તેમણે આરોપ લગાવ્યો હતો કે 'આપ'ના નેતા ફક્ત રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે ચૂંટણી લડી રહ્યાં છે. મુકુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે હું મિત્રો પાસેથી ઉધાર લઇને ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો, આ લોકોએ મારું કેરિયર બરબાર કરી દિધું.
મુકુલ ત્રિપાઠી પત્રકાર છે અને તે લાંબા સમયથી લખનઉથી પત્રકારત્વ સાથે જોડાયેલા રહેલા છે. તેમણે સલમાન ખુર્શીદ વિરૂદ્ધ ઉતારતા પાછળનું કારણ એ હતું કે મુકુલ ત્રિપાઠી શારીરિક રીતે લગભગ 70 વિકલાંગ છે. થોડા સમય પહેલાં સલમાન ખુર્શીદ અને તેમની પત્ની પર વિકલાંગોના ભાગના પૈસા ખાઇ જવાનો આરોપ લગાવ્યો હતો. એટલા માટે પાર્ટીએ મુકુલ ત્રિપાઠીને અહીંથી ઉતારીને મુદ્દાને ભાવનાત્મક બનાવીને ચૂંટણીમાં લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પહેલાં શનિવારે અજમેરથી લોકસભાના ઉમેદવાર અજય સોમાનીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું, જ્યારે એટાના ઉમેદવાર દિલીપ યાદવે ટિકીટ પાછી આપી દિધી. જાણીતા ટીવી કલાકાર પ્રવીણ કુમારે પણ ગત અઠવાડિયે આપ સાથે સંબંધ તોડી દિધો. પ્રવીણ કુમારે ગત વર્ષે દિલ્હીની વજીરપુર સીટ પરથી 'આપ'ની ટિકીટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શક્યા ન હતા. દિલીપે ટિકીટ પરત આપવાનું કારણ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહના ખોટો નિર્ણયોને ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે પાર્ટીએ ખોટા લોકોને ટિકીટ આપી છે.
શનિવારે નામ પરત લેવાના અંતિમ દિવસે સોમાનીનું અચાનક મેદાનમાંથી હટી જવાના લીધે પાર્ટી કાર્યકર્તાઓએ તેમના ઘરે જોરદાર હંગામો કર્યો હતો અને તેમના પર શાહી ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટટ સોમાનીએ ઉમેદવારી પત્ર પરત લેવા અંગે સ્પષ્ટતા રજૂ કરતાં કહ્યું હતું કે 'મને કાલે સાંજે જ ખબર પડી કે ભાઇ સમાન મારા પાર્ટનરને કેન્સર છે અને કિડની ફેલ છે. તેની તાત્કાલિક સારવાર મુંબઇમાં કરાવવી છે. મારું તેની સાથે હોવું જરૂરી છે. મેદાનમાં ઉભો રહેતો તો તેની સાથે જઇ ન શકતો એટલા માટે નામ પરત લઇ લીધું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
