પંજાબની આપ સરકારે આપી દિવાળી ભેટ, લાગુ કરી જૂની પેન્શન યોજના

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની સરકારે આજની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકાર તરફથી રિટાયર્ડ કર્મચારિઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે.

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની સરકારે આજની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકાર તરફથી રિટાયર્ડ કર્મચારિઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે આ જૂની પેન્શન યોજના લાગુ કરીને રાજ્ય સરકારે તેમના નિવૃત કર્મચારીઓને દિવાળી ગીફ્ટ આપી છે.

 old pension scheme

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ નિર્ણય રાજ્યના લાખો પૂર્વ કર્મચારીઓ માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. આવા સમયે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા પર અભિનંદન આપતા ટ્વિટ કર્યું હતું કે, અમે પંજાબને વચન આપ્યું હતું કે, અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરીશું. આજે ભગવંત માન જી એ વચન પૂરું કર્યું છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં ગુરૂવારના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં અન્ય ઘણા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, ધાર્મિક ગ્રંથો વહન કરતા વાહનોને ટેક્સમાંથી મુક્તિ આપવાના નિર્ણયને પણ આપ સરકારે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત નોકરીઓમાં પંજાબના યુવાનોને પ્રાથમિકતા આપવા માટે ભરતીના નિયમોમાં ફેરફારને પણ મંજૂરી આપવામાં આવી છે. આવા સમયે, મોહાલીમાં મેડિકલ કોલેજના નવા સ્થાનને મંજૂરી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X