Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM: અશ્વિની ઉપાધ્યાય

નવી દિલ્હી, 7 એપ્રિલ: પાર્ટી વિરોધી ગતિવિધીઓના આરોપમાં કાઢવામાં આવેલા અશ્વિની ઉપાધ્યાયે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ટ્વિટર પર પ્રહાર કર્યો છે. અશ્વિની ઉપાધ્યાયે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનો એજંડા ત્રિશંકુ સંસદનો છે. જેથી તે કોઇ મોટી ડીલ કરી શકે. અરવિંદ કેજરીવાલ માટે પહેલાં પોતાનો સ્વાર્થ, પછી પાર્ટી અને ત્યારબાદ રાષ્ટ્રહિત આવે છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે અમન ડીલ 2013 હેઠળ આમ આદમી પાર્ટીનો હેતુ 350થી વધુ સીટો પર ચૂંટણી લડવાનો અને વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીને સમર્થન કરવાનો છે. તો બીજી તરફ કોંગ્રેસ દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે અરવિંદ કેજરીવાલનું અને હરિયાણા માટે યોગેન્દ્ર યાદવનું સમર્થન કરશે.

સોમવારે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી પોતાની ટ્વિટમાં ઉપાધ્યાયે કહ્યું હતું કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદની સદસ્યતા માટે અરવિંદ કેજરીવાલે કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ડીલ થયા બાદ 2005માં કોંગ્રેસ નેતા આશીષ તલવારની સાથે જર્મની પણ ગયા. અશ્વિની ઉપાધ્યાય અપીલ કરતાં કહ્યું હતું કે મીડિયા અરવિંદ કેજરીવાલ પાસે આ તે પ્રશ્નોના જવાબ માંગે.

તેમનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ સંપૂર્ણપણે નાસ્તિક વ્યક્તિ છે. પરંતુ ફક્ત વોટો માટે તેમણે શિવગંગ ટ્રેનથી યાત્રા કરી, ગંગામાં ડુબકી લગાવી અને કાશી વિશ્વનાથ ગયા. અશ્વિની ઉપાધ્યાયે કેજરીવાલની સાથે જ કુમાર વિશ્વાસને લઇને ટ્વિટ કર્યું છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું છે કે ચાર એપ્રિલના રોજ નોઇડામાં કુમાર વિશ્વાસે મને કહ્યું હતું કે પાર્ટી પર કોમ્યુનિસ્ટોનો કબજો થઇ ગયો છે જેના લીધે એજંડા બદલાઇ ગઇ છે. એટલા માટે પાર્ટીમાં પરિવર્તન જરૂરી થઇ ગયું છે.

આ પહેલાં રવિવારે કરવામાં આવેલા ટ્વિટમાં અશ્વિની ઉપાધ્યાયે અરવિંદ કેજરીવાલ પર ખોટું બોલવાનો આરોપ લગાવતાં માફી માંગવાનું કહ્યું હતું. અશ્વિની ઉપાધ્યાયે ટ્વિટ કર્યું હતું કે 'મેં ક્યારેય લોકસભાની ટિકીટ માંગી નથી. ખોટું બોલવા બદલ અરવિંદ કેજરીવાલ માંફી માંગે અથવા પછી તે સાબિત કરે કે મેં લોકસભાની ટિકીટ માંગી હતી. આમ આદમી પાર્ટીના ફાઉન્ડર સભ્યોમાં રહેલા અશ્વિની ઉપાધ્યાયને તાજેતરમાં જ પાર્ટી વિરોધી ગતિવિધીઓને તગેડી મુકવામાં આવ્યા હતા.

અશ્વિની ઉપાધ્યાયે કર્યું ટ્વિટ

અશ્વિની ઉપાધ્યાયે કર્યું ટ્વિટ

અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ સંપૂર્ણપણે નાસ્તિક વ્યક્તિ છે. પરંતુ ફક્ત વોટો માટે તેમણે શિવગંગ ટ્રેનથી યાત્રા કરી, ગંગામાં ડુબકી લગાવી અને કાશી વિશ્વનાથ ગયા. અશ્વિની ઉપાધ્યાયે કેજરીવાલની સાથે જ કુમાર વિશ્વાસને લઇને ટ્વિટ કર્યું છે.

કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM

કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM

કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM

કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM

કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM

કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X