AAPએ હરજોત બેન્સને બનાવ્યા હિમાચલ પ્રદેશના પ્રભારી, જમ્મુના પ્રભારીની પણ નિભાવી ચુક્યા છે જવાબદારી
પંજાબની આમ આદમી પાર્ટી (AAP)ના કેબિનેટ મંત્રી હરજોત સિંહ બેન્સને હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છેકે આ પહેલા તેમને જમ્મુ પ્રભારીની જવાબદારી પણ આપવામાં આવી હતી. હિમાચલ પ્
પંજાબની આમ આદમી પાર્ટી (AAP)ના કેબિનેટ મંત્રી હરજોત સિંહ બેન્સને હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છેકે આ પહેલા તેમને જમ્મુ પ્રભારીની જવાબદારી પણ આપવામાં આવી હતી. હિમાચલ પ્રદેશની ચૂંટણીની સમગ્ર જવાબદારી દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર છે. મંત્રી હરજોત સિંહ બેન્સ મનીષ સિસોદિયાના નજીકના માનવામાં આવે છે.
હિમાચલ પ્રદેશની ચૂંટણીની રણનીતિને સરળતાથી ચલાવવાની અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે વધુ સારા સંકલનની જવાબદારી હરજોત સિંહ બૈન્સની રહેશે. સ્પષ્ટ છે કે હવે તેઓ આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં વ્યસ્ત રહેશે.
પંજાબમાં આ મંત્રાલયોનો હવાલો સંભાળ્યો
મંત્રી હરજોત સિંહ બેન્સની ઓળખ પંજાબના મજબૂત નેતા તરીકે સામે આવી છે. પંજાબમાં, તેમણે જેલ અને ખનન મંત્રાલય સંભાળ્યુ હતિ અને પંજાબ કેબિનેટમાં ફેરબદલ પછી, હરજોત સિંહ બેન્સને શાળા શિક્ષણની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન AAPએ શાળાઓ, કોલેજો અને હોસ્પિટલો બનાવવાની રાજનીતિ તૈયાર કરી હતી. તે સ્પષ્ટ છે કે મંત્રી હરજોત સિંહ બેન્સ પણ હિમાચલ પ્રદેશની શાળાઓમાં વધુ સારી સુવિધાઓને પ્રોત્સાહન આપતા અને નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતા જોઈ શકાય છે.
ગુજરાત પ્રચારમાં લાગ્યા બન્ને CM
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સતત પ્રચાર કરી રહ્યા છે. ઘણી જગ્યાએ લોકોને સંબોધતા બંનેએ વધુ સારી સુવિધાઓ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે AAPને જીતાડવાની અપીલ કરી હતી.
રાષ્ટ્રપતિના વેલકમને બદલે ગુજરાતમાં વ્યસ્ત રહ્યાં માન
પંજાબના સીએમ ભગવંત માન હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીમાં AAPની જીત માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ચંદીગઢના સુખના તળાવ ખાતે આયોજિત એરફોર્સ ડેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, પરંતુ તેમનું સ્વાગત કરવાને બદલે પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતની ચૂંટણીમાં વ્યસ્ત હતા. જેના પર પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત સીએમ ભગવંત માનથી નારાજ થયા હતા. તેમણે માનને તેમની બંધારણીય ફરજ અને પ્રોટોકોલની પણ યાદ અપાવી હતી.