દિલ્લીમાં ફરીથી વીજળી મુદ્દે આપ-કેન્દ્ર વચ્ચે ફરીથી વિવાદ, AAP મંત્રી આતિશીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા
દિલ્હીમાં વધુ એક વખત આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે બબાલ સામે આવી છે. હવે વીજળીના ભાવને લઈને આમ આદમી પાર્ટી કેન્દ્ર પર પ્રહાર કરી રહી છે.
દિલ્હીમાં વીજળીના ભાવ વધારા માટે વીજળી નિયમનકારે વિતરણ કંપનીઓને વીજળીના દરો વધારવાની મંજૂરી આપી છે. આ મુદ્દે દિલ્હી સરકાર જણાવી રહી છે કે આનાથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં.

વીજળીના ભાવ વધારાનું આ પગલું કંપનીઓ દ્વારા વીજળીના દરમાં વધારાની માગણી કરતી અરજી દાખલ કર્યા પછી લેવામાં આવ્યું છે. હવે આ મુદ્દે દિલ્હી સરકારના મંત્રી આતિષીએ કેન્દ્ર સરકારને નિશાને લીધી છે.
મીડિયા સાથે વાત કરતા આતિષીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના ગેરવહીવટ અને કોલ બ્લોકના વધતા દરોને કારણે દિલ્હીમાં વીજળીના દરો વધી રહ્યા છે. ભારતમાં કોલસાની ખાણોની કોઈ અછત નથી, તો પછી કોલસાની ખાણોની કિંમત કેમ વધી રહી છે. શા માટે પાવર જનરેટ કરતી કંપનીઓને ઊંચા દરે કોલસો ખરીદવાની ફરજ પડી રહી છે?
અહીં મંત્રીએ દિલ્હીના લોકોને આશ્વાસન આપ્યું કે દિલ્હીમાં લોકોને ઝીરો બિલ મળે છે. તેમનું કોઈ બિલ આવતું નથી.












Click it and Unblock the Notifications
