આપના સાંસદ રાઘવ ચડ્ડા એ રાજ્યસભામાં ઉઠાવ્યો કતારપુર સાહિબના શ્રદ્ધાળુઓનો મુદ્દો
આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા અને પંજાબના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ શુક્રવારે સંસદમાં શ્રી કરતારપુર સાહિબ જતા શ્રદ્ધાળુઓનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે જ્યારે થોડા વર્ષો પહેલા શ્રી કરતારપુર સ
આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા અને પંજાબના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ શુક્રવારે સંસદમાં શ્રી કરતારપુર સાહિબ જતા શ્રદ્ધાળુઓનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે જ્યારે થોડા વર્ષો પહેલા શ્રી કરતારપુર સાહિબ કોરિડોર ખોલવામાં આવ્યો ત્યારે આખું વિશ્વ શ્રી ગુરુ નાનક દેવજીના રંગમાં રંગાઈ ગયું હતું.

ચઢ્ઢાએ કહ્યું કે દરેક વ્યક્તિ શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન કરવા ત્યાં જવા માંગે છે, પરંતુ શ્રદ્ધાળુઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રથમ સમસ્યા પાસપોર્ટની છે. તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ. જો તમારી પાસે પાસપોર્ટ નથી તો તમે શ્રી કરતારપુર સાહિબ જઈ શકતા નથી. ભારત સરકારે આ મહત્વપૂર્ણ મુદ્દો પાકિસ્તાન સરકાર સાથે ઉઠાવવો જોઈએ.
બીજી સમસ્યા એ છે કે દરેક યાત્રાળુએ દર્શન માટે જવા માટે 20 ડોલર એટલે કે લગભગ 1600 રૂપિયાની ફી ચૂકવવી પડે છે. જો પરિવારના 5 સભ્યો દર વર્ષે જવા માગતા હોય તો તેમણે વર્ષના 8 હજાર રૂપિયા ખર્ચવા પડશે. આ ફી વસૂલાત બંધ કરવી જોઈએ જેથી કરીને શ્રદ્ધાળુઓ આરામથી શ્રી કરતારપુર સાહિબ જઈ શકે.
ત્રીજી સમસ્યા ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા સાથે સંબંધિત છે, જે હાલમાં ઘણી જટિલ છે. તેને સરળ બનાવવું જોઈએ જેથી સંગતને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેમનો સમય વેડફાય નહીં. ચઢ્ઢાએ કહ્યું કે એકવાર આ સમસ્યાઓનો ઉકેલ આવી જશે તો ગુરુ અને સંગત વચ્ચેનું અંતર ઘટી જશે.
ઇતિહાસની દૃષ્ટિએ શ્રી કરતારપુર સાહિબ કોરિડોર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીનું કાર્યસ્થળ છે. એવું માનવામાં આવે છે કે ગુરુ નાનક દેવે 22 સપ્ટેમ્બર 1539 ના રોજ આ સ્થાન પર પોતાનો દેહ છોડ્યો હતો. તેમના મૃત્યુ પછી, તે પવિત્ર ભૂમિ પર ગુરુદ્વારા સાહિબ બનાવવામાં આવ્યું હતું. ભાગલા પછી, આ ગુરુદ્વારા પાકિસ્તાનના ભાગમાં ગયું, પરંતુ તે હજી પણ બંને દેશો માટે આસ્થાના સૌથી મોટા કેન્દ્રોમાંનું એક છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
