ઓમ બિડલા સામે કાગળ ફાડવા પર AAP ના સાંસદ સુશીલ કુમાર રિકુ સસ્પેન્ડ, કહ્યુ મને કોઇ અફસોસ નથી.
ગુરુવારે સાસદના મોનસૂન સત્રમાં આમ આદમી પાર્ટીના એક માત્ર લોકસભા સાંસદ સુશીલ કુમાર રિંકુને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. દિલ્હી સેવા વિધેયકના વિરોધમાં તેમણે સદનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાની સામે કાગળ ફાડીને ફેકી દિધા હતા.

જણાવી દિએ કે, સુશીલ કુમાર રિંકુ આમ આદમી પર્ટીના બીજા નેતા છે જેમને પુરા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા મણીપુર હિસાને લઇને રાજ્યસભામાથી પાર્ટી સાસદ સંજય સિહને સત્રમાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સસ્પેંડ થયા બાદ આપ સાંસદ સુશીલ કુમાર રિંકુએ કહ્યુ કે, જ્યારે ચૂટાયેલી સરકારની પાવર ગેરકાયદેસર અને ઓફિસરોને આપી દેવામાં આવે છે આ તો સંવિધાનનું અપમાન છે. હવે આ અદાલત નક્કી કરશે કે, કોન ભ્રષ્ટાચારી છે અને કોન નહી? મને એ વાતનો અફસોસ નથી કે, લોકો માટે અવાજ ઉઠાવા અે લોકતંત્રને બચાવા માટે મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે, સુશીલ કુમાર રિંકુ પંજાપના જલંધરના લોકસભા સીટ પરથી સાસદ છે. આપ પહાલ સુશીલ કુમાર કોગ્રેસમાં હતા. પરંતુ પાર્ટી વરિધી ગતિવિધિઓને લઇને તેમને પાર્ટીએ કાઢી મુક્યા હતા. ત્યાર બાદ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. 10 મેના લોકસભા ઉપચૂંટણીમાં જીત્યા અને તેમનો સાસંદ તરીકને રસ્તો બની ગયો હતો. ત્યાર બાદ વર્તમાન સાસદ સત્રના પહેલા દિવસે 20 જુલાઇે લોકસભઆ સત્રના સભ્ય તરીકે શપથ પણ લીધા હતા.












Click it and Unblock the Notifications
