9માં દિવસે પણ કેજરીવાલના અનશન જારી, AAP મોકલશે CMને 6 લાખ પત્રો

arvind kejriwal
નવી દિલ્હી, અરવિંદ કેજરીવાલના અમર્યાદિત દિવસોના ઉપવાસના આજે નવમાં દિવસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ જણાવ્યું કે દિલ્હીવાસીઓ પાસેથી એકઠા કરવામાં આવેલા 6.38 લાખ પત્રો તેઓ આવતીકાલે મુખ્યમંત્રી શીલા દીક્ષિતને સોંપશે. એક નિવેદનમાં 'આપ'એ જણાવ્યું કે ગઇકાલ રાત સુધી કૂલ 638707 પત્રો દિલ્લીવાસિઓએ લખ્યા છે. જે આવતીકાલે સવારે શીલા દીક્ષિતને સોંપવામાં આવશે.

પાર્ટીનો આરોપ છે કે ભ્રષ્ટાચારના કારણે રાજધાનીમાં વીજળી અને પાણીના ભાવમાં વધારો થયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે વધારે આવેલું બિલ નહીં ભરવાનો નિર્ણય આપી ચૂકેલા દિલ્હીવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને હવે શીલા દીક્ષિતે નક્કી કરવાનું છે કે તેઓ સામાન્ય જનતાનો અવાજ સાંભળશે કે પછી ખાનગી કંપનીઓને સાથ આપશે.

કેજરીવાલના સ્વાસ્થ્ય અંગેના નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે નબળાશ આવી ગયા બાદ પણ સ્વાસ્થ્ય સંબંધી તબિયત સામાન્ય છે. આ અંગે ડોક્ટરોએ જણાવ્યું કે 'તેમનું બ્લડપ્રેશર 101-63, પલ્સ 65 અને ડાયાબિટીસ 121 છે. તેમનું વજન સાત કિલો ઓછું થઇ ગયું છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X