આ એક્ટર પર આરાધ્યા બચ્ચનને છે ક્રશ, અંકલ કહેવાનો કર્યો હતો ઈન્કાર
Aaradhya Bachchan: બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યાની રણબીર કપૂર સાથે ખૂબ જ ગાઢ મિત્રતા છે. આવી સ્થિતિમાં આરાધ્યા બચ્ચન પણ રણબીરની ખૂબ નજીક છે.
નોંધનીય બાબત છે કે, ઐશ્વર્યા રાયનો એક જૂનો ઈન્ટરવ્યુ ખૂબ ચર્ચામાં છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેની રણબીર કપૂર સાથે લાંબા સમયથી મિત્રતા છે.
આ અબ લૌટ ચલેં ફિલ્મથી બંને સારા મિત્રો બની ગયા હતા. બંને વચ્ચેની આ ગાઢ મિત્રતા આજે પણ ચાલુ છે, પરંતુ આરાધ્યા તેને અંકલ કહેવાનો ઇનકાર કરે છે.
ઐશ્વર્યા રાયે ફિલ્મના સેટ સાથે જોડાયેલી એક ઘટના શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે, એકવાર તે રણબીર કપૂર સાથે શૂટિંગ કરી રહી હતી અને તે સમયે અભિનેતાએ અભિષેક બચ્ચનના કપડાં પહેર્યા હતા.
આવા સમયે આરાધ્યા બચ્ચન અચાનક સેટ પર આવી હતી. રણબીરને અભિષેક સમજીને તેણે તેને પાછળથી ગળે લગાવ્યો. પણ આરાધ્યાને જેવી સમજ પડી કે તરત જ તે શરમાઈ ગઈ હતી.

ઐશ્વર્યા રાયે જણાવ્યું હતું કે, આ કારણે અભિષેક બચ્ચન ઘણીવાર રણબીર કપૂરને એમ કહીને ચીડવે છે કે, આરાધ્યા તેના પર ક્રશ છે.
જ્યારે આરાધ્યાનો રણબીર સાથે પરિચય થયો, ત્યારે તેણે તેણીને રણબીર અંકલ કહીને ઓળખાણ કરાવી હતી, પરંતુ આરાધ્યાએ તેને અંકલ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેણી તેને આરકે કહીને બોલાવે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી.
આ ફિલ્મમાં બંનેએ ઘણા ઈન્ટિમેટ સીન આપ્યા હતા, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બચ્ચન પરિવારે નિર્માતાઓને સીન હટાવવા માટે કહ્યું હતું, પરંતુ તેમ થયું નહીં.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છેલ્લા કેટલાક સમયથી તેમના છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બંને અલગ-અલગ જોવા મળ્યા હતા, જેના કારણે તેમના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા હતા.
આ પછી ઘણી વખત ઐશ્વર્યા રાય માત્ર તેની પુત્રી આરાધ્યા સાથે જોવા મળી હતી. એવા પણ અહેવાલ છે કે, ઐશ્વર્યાએ સાસરે ઘર છોડી દીધું છે. જોકે, અત્યાર સુધી દંપતીએ આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.












Click it and Unblock the Notifications
