આરૂષિ કેસ: ૧૪ સાક્ષીઓની જુબાની લેવાની અરજી ફગાવાઈ

અલ્હાબાદ હાઈકોર્ટનું એ પણ માનવું હતું કે, નિચલી કોર્ટે એ નિર્ણય કરવાનો અધિકાર છે કે, કયા સાક્ષીઓને બોલાવા અને કયાને નહીં. આ પહેલા 13મેએ સુપ્રીમ કોર્ટે તલવાર દંપતીની અરજીને નકારી કાઢી હતી અને નીચલી કોર્ટનાં ચુકાદાને સીધા જ સુપ્રીમ કોર્ટમાં પડકારતા કોર્ટે વાંધો પણ ઉઠાવ્યો હતો.
સીબીઆઈનું કહેવું છે કે, પાંચ વર્ષ પહેલાની આ ઘટનામાં 14 વર્ષની આરૂષિને તેના જ માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરૂષિની 16મી મે, 2008માં તેનાં જ બેડરૂમમાં કપાયેલા ગળા સાથે મૃત જોવાઈ હતી. શરૂઆતમાં શંકા નોકર હેમરાજ પર ગઈ હતી પરંતુ બાદમાં તેનો પણ મૃતદેહ ઘરનાં ધાબા પરથી મળી આવ્યો હતો.












Click it and Unblock the Notifications
