દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય ખુલશે આજે
ગાજિયાબાદ, 24 નવેમ્બર: કિશોરી આરૂષિ તલવાર અને ઘરેલુ સહાયક હેમરાજની સનસનીખેજ હત્યાના લગભગ સાડા પાંચ વર્ષ બાદ એક વિશેષ સીબીઆઇ કોર્ટ સોમવારે પોતાનો ચૂકાદો સંભળાવશે કે શું આ કેસમાં તેના માતા-પિતા દોષી છે.
વિશેષ ન્યાયાધીશ એસ લાલ દંત ડૉક્ટર દંપતિ રાજેશ તલવાર અને નુપૂર તલવાર વિરૂદ્ધ 15 મહિના લાંબી સુનાવણી બાદ આ કેસમાં પોતાનો ચૂકાદો સંભળાવશે. બંને હાલ જામીન પર છે. બંને પર હત્યાની સાથે જ પોતાની 14 વર્ષીય પુત્રી અને નોકરની 15-16 મે 2008ના રોજ રાત્રે નોઇડા જલવાયુ વિહાર સ્થિત ઘરે હત્યાના પુરાવા નષ્ટ કરવાના આરોપ છે.
ઉત્તર પ્રદેશ પોલીસ અને સીબીઆઇના અલગ-અલગ તર્કોથી આ કેસમાં કેટલાક ઉતાર-ચઢાવ આવ્યા. શરૂઆતમાં શંકાની સોંઇ રાજેશ તલવાર પર ત્યારબાદ તેમના મિત્રોના ઘરેલુ સહાયકો પર પછી રાજેશ અને તેમની પત્ની પર ગઇ.
આ કેસ હંમેશા મીડિયામાં છવાયેલો રહ્યો. ઓગષ્ટ 2009માં સુપ્રીમ કોર્ટે મીડિયા પર સનસનીખેજ રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવી દિધો. તલવાર દંપતિએ સીબીઆઇ પર આરોપ લગાવ્યો હતો કે તપાસને ગેરમાર્ગે દોરવા અને કથિત રીતે કેટલીક વસ્તુઓને લીક કરીને તેમની છબિને 'નુકશાન' પહોંચાડ્યું. ઉત્તર પ્રદેશ પોલીસે પોતાની તપાસ તે આધાર પર કરી હતી કે હેમરાજે આરૂષિની હત્યા કરી અને ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયો.
બીજા દિવસે 16 મે 2008ના રોજ હેમરાજની લાશ ફ્લેટના ધાબા પરથી મળ્યા બાદ શંકાની સોંઇ રાજેશ પર આવી ગઇ જેને ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી લીધી. ઉત્તર પ્રદેશ પોલીસના તે સનસનીખેજ આરોપે મીડિયાનું ધ્યાન ખેંચ્યું કે હત્યારો બીજો કોઇ નહી કિશોરીના પિતા છે જે ને આરૂષિ અને હેમરાજને આપત્તિજનક સ્થિતીમાં જોયા બાદ ગુસ્સામાં આ પગલું ભર્યું હતું.
ઉત્તર પ્રદેશની તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ કેસને સીબીઆઇને સોંપી દિધો. સીબીઆઇના સંયુક્ત નિર્દેશક અરૂણ કુમારના નેતૃત્વમાં સીબીઆઇની એક ટુકડીએ એ નિષ્કર્ષ કાઢ્યું કે હત્યાઓ તલવારની ક્લિનિકમાં સહાયક કૃષ્ણા થડરાઇ, તેમના મિત્ર રાજકુમાર તથા તલવારના પડોશીના ડ્રાઇવર વિજય મંડલ દ્વારા કરવામાં આવી. રાજકુમાર તલવારના મિત્ર પ્રફુલ અને અનીતાના ઘરેલુ સહાયક હતા.

સીબીઆઇના તત્કાલિન નિર્દેશક અશ્વિની કુમારે આ નિષ્કર્ષોને નકારી કાઢ્યા અને અરૂણ કુમારની દલીલોમાં ખામીઓ કાઢી. સપ્ટેમ્બર 2009માં કુમારે સંયુક્ત નિર્દેશક જાવેદ અહેમદ અને તત્કાલીન પોલીસ અધિક્ષક નીલામ કિશોરના નેતૃત્વમાં એક નવી ટીમનું નિર્માણ કર્યું અને તેમને આ કેસ માટે પોતાની ટીમના સભ્યોની પસંદગી કરવા માટેની આઝાદી આપી.
તપાસ ટુકડીએ લગભગ એક વર્ષની ઉંડી તપાસ બધા સહાયકોને શકમાંથી મુક્ત કરી દિધા અને પરિસ્થિતીજન્ય પુરાવાના આધાર પર રાજેશ તલવારની ભૂમિકાના સંકેત આપી દિધા.
25 જાન્યુઆરી 2011ના રોજ ગાજિયાબાદ કોર્ટ પરિસરમાં એક યુવકે રાજશ તલવાર પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો. ફરિયાદી પક્ષે પોતાની અંતિમ દલીલો 10 ઓક્ટોબરના રોજ શરૂ કરી જ્યારે બચાવ પક્ષે પોતાની અંતિમ દલીલો 24 ઓક્ટોબરના રોજ શરી કરી તેને 12 નવેમ્બરે પુરી કરી લીધી.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
