APJ Abdul Kalam Anniversary: ગામડાઓ માટે પોતાનો આખો પગાર દાન કરી દેતા હતા અબ્દુલ કલામ
ગામડાઓ માટે પોતાનો આખો પગાર દાન કરી દેતા હતા અબ્દુલ કલામ
નવી દિલ્હીઃ APJ Abdul Kalam Birth Anniversary: આજે મિસાઈલ મેન ડૉક્ટર અબ્દુલ કલામની જન્મ જયંતિ છે. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ તમિલનાડુમાં થયો હતો. તેમનું આખું નામ અબુલ પકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ હતું. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ પ્રોગ્રામના જનક ડૉ એપીજે અબ્દુલ કલામને આખી દુનિયા મિસાઈલ મેનના નામે ઓળખે છે. એપીજે અબ્દુલ કલામ મહાન વૈજ્ઞાનિકની સાથે જ એક સારા શિક્ષક પણ હતા, માટે તેમના જન્મદિવસ પર જ આજે વિશ્વ વિદ્યાર્થી દિવસ મનાવવામાં આવે છે. કલામે વૈજ્ઞાનિક-એન્જીનિયર તરીકે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનની કેટલીય મહત્વપૂર્ણ પરિયોજનાઓ પૂરી કરી છે. ભારતના રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ તેમણે પોતાનો આખો સમય બીજાઓની ભલાઈમાં લગાવ્યો.
Recommended Video


જાણો પોતાનો પગાર ક્યાં ખર્ચતા હતા
આપણે ડૉ એપીજે અબ્દુલ કલામના વિજ્ઞાન ક્ષેત્રમાં કરેલા અવિષ્કારો અને અનુકરણીય કાર્યોને જાણીએ છીએ. પરંતુ અબ્દુલ કલામ પોતાનો પગાર ગ્રામીણ વિકાસ માટે દાન કરતા હતા તે બહુ ઓછા લોકોને ખબર હશે. જી હાં, અબ્દુલ કલામે ગ્રામીણ વિકાસ માટે પોતાનો આખો પગાર અને જે કંઈપણ સેવિંગ હતું, તે બધું જ PURA નામની એક એનજીઓને દાન કરી દીધું.

આ સંસ્થાની સ્થાપના કરી
PURA (Providing Urban Amenities to Rural Areas) નામની એક સંસ્થાની અબ્દુલ કલામે સ્થાપના કરી હતી. આ સંગઠન ગ્રામીણ ક્ષેત્રોમાં શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ કરતા હતા. આ સંસ્થા અને આ વિચાર વિશે સૌથી પહેલા ડૉ એપીજે અબ્દુલ કલામના પુસ્તક Target 3 Billionમાં લોકોએ જાણ્યું હતું.

ગામડાઓમાં શહેરી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું સપનું
ડૉ એપીજે અબ્દુલ કલામનું માનવું હતું કે ભારતના રાષ્ટ્રપતિ બન્યા બાદ સરકાર તેમના અંતિમ શ્વાસ સુધી દેખભાળ કરશે અને માટે તેમણે ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે પોતાના પગારનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો.
PURA ગ્રામીણ ક્ષેત્રોમાં આજીવિકાના અવસરો અને શહેરી સુવિધાઓને સારી બનાવવા માટે સાર્વજનિક ખાનગી ભાગીદારી (PPP) માળખાના માધ્યમથી કામ કરતી હતી.

એપીજે અબ્દુલ કલામ વિશે
15 ઓગસ્ટ 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમાં અબ્દુલ કલામનો જન્મ થયો હતો. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પાંચ ભાઈ અને બહેનો વાળા પરિવારને ચલાવવા માટે પિતાની મદદ કરવા માટે એપીજે અબ્દુલ કલામ સાધારણ પૃષ્ઠભૂમિથી સંબંધ રાખતા હતા, જમીની સ્તર સાથે જોડાયેલા રહી તેમણે રાષ્ટ્રપતિના રૂપમાં લોકોના દિલોમાં પોતાના માટે અલગ જગ્યા બનાવી હતી... માટે લોકો તેમને 'લોકોના રાષ્ટ્રપતિ' કહેતા હતા.
અબ્દુલ કલામે પોખરણ- 2 પરમાણુ પરી7ણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને રાષ્ટ્રના પ્રમુખ પરમાણુ વૈજ્ઞાનિકના રૂપમાં ઉભરી આવ્યા, પરંતુ આ બધા બાદ પણ તેઓ જીવન જીવવાની રીતના કારણે લોકોની વચ્ચે બહુ મશહૂર થયા.
ભારતના પ્રમુખ વૈજ્ઞાનિક અબ્દુલ કલામ, એક સાધારણ જીવન જીવતા હતા. તેમની ખાનગી સંપત્તિમાં તેમના પુસ્તકો, એક વીણા અને કેટલીક જોડી કપડાં હતાં. ભારતે આજથી પાંચ વર્ષ પહેલાં અબ્દુલ કલામ જેવા મહાન વ્યક્તિત્વને ગુમાવી દીધા હતા. 27 જુલાઈ 2015ના રોજ તેમનું નિધન થયું હતું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
