અદાણી ગૃપના રોકાણકારો માટે રાહતના સમાચાર છે, કંપનીએ સમય પહેલા 7300 કરોડનું દેવુ ચૂકવ્યુ
અદાણી ગૃપે ઘણા સમયથી વિવાદોમાં છે પરંતુ તેણે રોકાણ કારોને રાહત આપી છે. તેમણે 7300 કરોડની દેવુ ચૂકતે કર્યુ છે.
હિંડનબર્ગ રિપર્ટ્સ બાદ અદાણી ગૃપ ઘણુ નુક્સાન ગયુ હતુ. તેના રોકાણ કારો પણ હેરાન પરેશાન હતા. હવે રાહતના સમાચાર આવ્યા છે. અદાણી ગૃપે મંગળવારે જણાવ્યુ હતુ કે, તેમણે 7374 કરોડ રૂપિયા ની શેયર બોન્ડ ફાઇનેસિંગની ચૂકવણી કરી છે .ખાસ વાત એ છે કે, આ ચૂકવણી પહેલા થયુ છે. કંપનીને આશા છે કે, આનાથી રોકાણ કારોનો ભરોસો વધશે.

કંપનીએ પોતાના આધિકારીક નિવેદનમાં કહ્યુ છે કે, ગૃપે લિ્ટેડ કંપનીઓ માટે શેયર આધારીત લેણાને ઓછો કરવાનો નિર્ણય કર્યો છે. તેના અનુસાર નક્કી કરવામાં આવેલા સમય પહેલા ચૂકવણી કરી દેવામાં આવ્યુ છે. કંપનીએ પોતાના રોકાણકારો પ્રતિ સંવેદનશીલ છે. અને તેમની સુરક્ષાને લઇને કદમ ઉઠાવામાં આવી રહ્યા છે. આ પહેલા હિડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગૃપ પર વિદેશી ટેક્સ હેવન દેશોમાં ખોટો ઉપયોગનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કહેવામાં આવ્યુ હતુ કે, ગૌતમ અદાણીએ ખુદ જ પોતાના શેયરના ભાવ વધાર્યા છે. ત્યાર બાદ તેમની સ્થિતિ બજારમાં કમજોર થઇ છે. જો કે, પાછલા થોડા દિવસો થી અદાણી ગૃપના શેયર્સમાં તેજી જોવા મળી રહી છે. માનવમાં આવી રહ્યુ છે. આ રોકાણથી રોાકણકારોનો વિશ્વાસ કંપની પર વધશે.
24 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકામાં રોકાણકાર બોર્ડે 442 મિલિયન અમેરિકન ડોલરની કુલ રોકાણની મંજૂરી આપવામાં આવી છે. જે અનુસાર મન્નાર અને પૂનરીનમાં અદાણી ગ્રીન એનર્જીના બે પવન ર્જા સંયંત્ર બનાવવાની મંજૂરી મળી ગઇ છે. શ્રીલંકાના રોકાણકાર બોર્ડે હાલમાં એક નિવેદનમાં બહાર પડાને કહ્યુ છે કે, અદામી ગ્રીન એનર્જી લિમિટેડને બે પવન ઉર્જા સંયંત્રો માટે સ્વીકૃતિ પત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નવી પરીયોજના 1500-2000નવા રોજગારના અવસર પેદા કરશે. મન્નારમાં પવન ઉર્જા સંયંત્ર 250 મેગાવોટની ક્ષમતા પર કામ કરશે. પુનેરિનમાં પવન ઉર્જા સયંત્ર 100 મેગાવાટ ક્ષમતા પર કામ કરશે.












Click it and Unblock the Notifications
