Adani Issue: સુપ્રીમે કેન્દ્રને કહ્યું- સિલબંધ કવરમાં નહી સ્વિકારે કમિટીના સભ્યોના નામ
અદાણી કેસ અંગે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જ્યાં કોર્ટે કેન્દ્રના સૂચનને સીલબંધ કવરમાં લેવાનો ઇનકાર કર્યો હતો.
અદાણી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર કોર્ટ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન કેન્દ્રએ સ્પષ્ટ કર્યું હતું કે જો આ મામલે નિષ્ણાતોની સમિતિ બનાવવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. જે બાદ બેન્ચે સમિતિના સભ્યો અંગે કેન્દ્ર પાસેથી સૂચનો માંગ્યા હતા, પરંતુ હવે કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે સીલબંધ પરબિડીયાઓમાં સૂચનો લેશે નહીં.

મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સભ્યોના નામ સીલબંધ એન્વલપમાં આપવામાં આવ્યા હતા. જેના પર ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેંચે કહ્યું કે અમે સીલબંધ કવરમાં કેન્દ્રના સૂચનોને સ્વીકારીશું નહીં. અમે આ મામલે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. અમે નથી ઈચ્છતા કે કોઈ આ મામલે પક્ષપાતનો આરોપ લગાવે. આ મુદ્દો સંપૂર્ણ પારદર્શિતાની માંગ કરે છે અને જો કોર્ટ સરકારનું સૂચન સ્વીકારે તો તે બીજી બાજુને અંધારામાં રાખવા સમાન ગણાશે. આવી સ્થિતિમાં અમે પોતે જ સભ્યોની નિમણૂક કરીશું. એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ સિટિંગ જજની નિમણૂક કરવામાં આવશે નહીં.
તે જ સમયે, કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે હિંડનબર્ગના અહેવાલની બજાર પર શૂન્ય અસર છે. આ કોર્ટે કહ્યું કે આંકડા જણાવી રહ્યા છે કે રોકાણકારોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ચાર અરજીઓ પર થઇ રહી છે સુનવણી
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી ગ્રૂપમાં છેતરપિંડી સંબંધિત ચાર અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં ભારતમાં હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસની માંગ કરવામાં આવી હતી. વધુમાં, એડવોકેટ વિશાલ તિવારીએ સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિ દ્વારા હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ કરી હતી. અને તાજેતરમાં, અદાણી સામે તપાસની માંગણી કરનાર કોંગ્રેસના નેતા જયા ઠાકુરને પણ આ અરજીઓ સાથે ટેગ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
