સાવધાન! મુંબઇ, દિલ્હી, કોઇમ્બતુરમાં થઇ શકે આતંકવાદી હુમલા
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: હૈદરાબાદમાં લોહીયાળ હોળી રમનાર આતંકવાદીઓ હજુ શાંત બેસવાના નથી. આ લોકો ટૂંક સમયમાં જ દેશના અન્ય મોટા શહેરોને નિશાન બનાવી શકે છે. હૈદરાબાદમાં પણ બોમ્બ વિસ્ફોટની આશંકા છે. આ ચેતાવણી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને આપતાં એલર્ટ રહેવાની ચેતાવણી આપી છે. ગુપ્તચર વિભાગના જણાવ્યા અનુસાર આગામી ટાર્ગેટ દિલ્હી, મુંબઇ અથવા કોઇમ્બતુર બની શકે છે.
કેન્દ્ર સરકારે આ એલર્ટ ગુપ્તચર એજન્સીઓ દ્રારા મળેલી જાણકારી અને ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી સાથે ચાલી રહેલી પુછપરછના આધારે જાહેર કર્યો છે. દિલ્હી પોલીસની ધરપકડમાં રહેલા ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય મકબૂલની ફરી એકવાર સધન પુછપરછ કરવામાં આવી હતી, પુછપરછ દરમિયાન હૈદરાબાદના દિલસુખ નગર ઉપરાંત કેટલીક જગ્યાએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. મકબૂલે જણાવ્યું હતું કે ઇન્ડિયન મુજાહિદ્દીનના કેટલાક સ્લીપર સેલ હૈદરાબાદ સહિત કેટલાક શહેરોમાં સક્રિય છે.

તો બીજી તરફ ગુપ્તચર વિભાગના અનુસાર આતંકવાદીઓના આગામી નિશાના પર મુંબઇ, દિલ્હી, કોઇમ્બતુર હોય શકે છે. આ સુચનાના આધારે કેન્દ્રએ જમ્મૂ-કાશ્મીરથી માંડીને તમિલનાડુ સુધી બધા રાજ્યોને એલર્ટ કરી દિધા છે. કેન્દ્રએ પોતાની સૂચનામાં લખ્યું છે કે આ શહેરોના નામ લેવામાં આવ્યાં છે, તેનો મતલબ એ નથી કે અન્ય શહેરો સુરક્ષિત નથી. દરેક રાજ્ય પોલીસ તથા રાજ્યોની ગુપ્તચર એજન્સી પોતાના શહેરોને લઇને સજાગ રહે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
