સિદ્ધુ બાદ પંજાબ કેબિનેટમંત્રી રઝિયા સુલ્તાનાએ મંત્રી પદેથી રાજીનામું આપ્યું!
પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યા બાદ પંજાબ કેબિનેટમાં પણ રાજીનામાનો તબક્કો શરૂ થઈ ગયો છે. કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યા બાદ પંજાબ કેબિનેટમાં પણ રાજીનામાનો તબક્કો શરૂ થઈ ગયો છે. કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ સિવાય પંજાબ કોંગ્રેસના જનરલ સેક્રેટરી યોગિન્દર ઠઢીંગરાએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે આ બંને સિદ્ધુના કટ્ટર સમર્થક મનાય છે. રઝિયા સુલ્તાનાએ પોતાનું રાજીનામું આપ્યું અને કહ્યું કે, હું કોંગ્રેસ માટે કામ કરવાનું ચાલુ રાખીશ. તેમના રાજીનામા સાથે રઝિયા સુલ્તાનાએ સોનિયા અને રાહુલ ગાંધીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે નવજોત સિંહ સિદ્ધુની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ ખૂબ જ સિદ્ધાંતો વાળા માણસ છે, તેમને પંજાબમાં કોઈ લોભ નથી. તેમણે કહ્યું કે સિદ્ધુ પંજાબ અને પંજાબીઓ માટે લડી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે રઝિયા સુલ્તાના તાજેતરમાં જ કેબિનેટમાં સામેલ થઈ હતી. તેને સિદ્ધુ કેમ્પના નેતા માનવામાં આવે છે. રઝિયા સુલ્તાનાના રાજીનામા પહેલા ગુલઝાર ઈન્દર ચહલે પંજાબ કોંગ્રેસના ખજાનચી પદેથી પણ રાજીનામું આપી દીધું છે. રઝિયા સુલ્તાના પંજાબ કેબિનેટમાં એકમાત્ર મુસ્લિમ ચહેરો હતા. રઝિયા સુલ્તાનાના પતિ નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર પણ રહી ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે, નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે અચાનક પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું અને પંજાબ કોંગ્રેસના રાજકારણમાં ફરી હલચલ મચાવી છે. સિદ્ધુએ 18 જુલાઈએ જ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. જો કે, લાંબા સમયથી સિદ્ધુની નારાજગીની અટકળો ચાલી રહી હતી. જ્યારથી ચન્નીને સીએમ બનાવવામાં આવ્યા છે ત્યારથી તે પોતાને સાઈડલાઈન અનુભવી રહ્યા હતા. સિદ્ધુએ રાજીનામા સાથે કહ્યું કે તે પંજાબ સાથે સમાધાન કરશે નહીં.