સોનિયા ગાંધી સાથે સિદ્ધુની મુલાકાત બાદ કેપ્ટન અમરિદર નારાજ, સોનિયા ગાંધીને પત્ર લખ્યો
પંજાબમાં સીએમ અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલી બબાલ શાંત થવાનું નામ નથી લઈ રહી. સિદ્ધુની સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ પત્ર લખીને અમરિંદરે પોતાનું વલણ કડક કર્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે.
પંજાબમાં સીએમ અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલો રહેલો ઝઘડો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. નવજોત સિંહ સિદ્ધુની સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ પત્ર લખીને અમરિંદરે પોતાનું કડક વલણ જાહેર કર્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે. અમરિંદરે પત્રમાં લખ્યું છે કે જો સિદ્ધુને પંજાબના ચીફ બનાવવામાં આવે તો પાર્ટીને નુકસાન થશે.
સિદ્ધુથી ઉપર નારાજ થયેલા કેપ્ટને સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું છે કે, સિદ્ધુની કાર્ય શૈલીને કારણે કોંગ્રેસને નુકસાન થશે અને કોંગ્રેસમાં તેનાથી ભાગલા પાડી જશે. આ દરમિયાન, નારાજ કેપ્ટનને મનાવવા હરીશ રાવત આવતીકાલે ચંદીગઢ જઈ રહ્યા છે. તેઓ બપોરે મુખ્યમંત્રીને મળશે અને હાઈકમાન્ડની વાત મૂકશે.
ઉલ્લેખનિય છે કે, સિદ્ધુને અધ્યક્ષ બનાવવાની અટકળોથી કેપ્ટન ગુસ્સે છે. જો કે, સિદ્ધુની સોનિયા સાથેની મુલાકાત બાદ પાર્ટીએ હાલના તબક્કે પંજાબનો નિર્ણય મુલતવી રાખ્યો છે. સિદ્ધુ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હરીશ રાવતને મળ્યા હતા. પાર્ટી દાવો કરી રહી છે કે સોનિયા ગાંધી ટૂંક સમયમાં જ કોઈ નિર્ણય લેશે જે જાહેર કરવામાં આવશે.