પંજાબ સરકારે રમતવીરો માટે લીધો મોટો નિર્ણય, સ્કુલ રેકોર્ડ મુજબ નક્કી થશે ઉંમર
ચંદીગઢ : પંજાબની માન સરકારના ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા ખેલાડીઓ માટે જન્મના પ્રમાણ પત્રની શરત સમાપ્ત કરી છે.
ચંદીગઢ : પંજાબની માન સરકારના ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા ખેલાડીઓ માટે જન્મના પ્રમાણ પત્રની શરત સમાપ્ત કરી છે. હવે ખેલાડીને જન્મ પ્રમાણ પત્રની જરૂર રહેશે નહીં, તેના સ્થાને ખેલાડીઓની ઉંમર સ્કુલ રેકોર્ડના આધારે નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રમતગમત દરમિયાન આવનારી અડચણો અંગે પંજાબ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

મોટા બાળકો નાના બાળકો સાથે રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે, જેને લઈને ક્યારેક વિવાદો પણ થાય છે. ઘણી વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં એક-બે નિષ્ફળતા બાદ ખેલાડીઓ ફરી સગીર વયની મેચોમાં રમવા માટે નકલી પ્રમાણપત્રો બનાવીને તેમની ઉંમર બતાવે છે. જેના ઉકેલ માટે પંજાબ સરકારે આ નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
