રવિવારે ભારત કરશે ‘ચીન કિલર’ અગ્નિ-5નું પરિક્ષણ
ચીનના તમામ મોટા શહેરોને નિશાન બનાવી શકે તેવું સક્ષણ અંતર મહાદ્વીતિય બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું બીજૂ મહત્વપૂર્ણ પરિક્ષણ ઓરિસ્સા પાસે વ્હીલર દ્વિપ પર રવિવારે કરવામાં આવશે.
રક્ષા અનુસંઘાન અને વિકાસ સંગઠનના સૂત્રોએ જણાવ્યું કે, 5000 કિમી સુધી પ્રહાર કરનારી આ મિસાઇલના પરિક્ષણ માટેની તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. આ દરમિયાન મિસાઇલના તમામ ઉપકરણોને ચકાસવામાં આવશે અને રવિવારે સવારે અંદાજે સાત વાગ્યે તેને લોન્ચ કરવામાં આવશે.
સૂત્રો અનુસાર એક જ મિસાઇલમાં અનેક પરમાણુ બહુ મુખાસ્ત્ર લઇ જવાની નવી ટેક્નોલોજીથી અગ્નિ-5ને સુસજ્જિત કરવામાં આવશે, જેને વૈજ્ઞાનિક ભાષામાં મલ્ટીપલ ઇન્ડીપેન્ડેટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હિકલ એટલે કે એમઆઇઆરવી કહેવામાં આવે છે. સમજવામાં આવી રહ્યું છે કે, આ નવી પ્રણાલીને અગ્નિ-5ના આ બીજા પરિક્ષણમાં વિશેષ રીતે પારખવામાં આવશે. આ મિસાઇલનું પહેલું પરિક્ષણ ગત વર્ષે એપ્રિલમાં કરવામાં આવ્યું હતું અને બીજું જૂનમાં થવાનું હતું.













Click it and Unblock the Notifications
