મહારાષ્ટ્: ચુંટણી આયોગે અજિત અને શરદ પવારને દસ્તાવેજની એક બીજા સાથે શેર કરવાનો આપ્યો આદેશ
ચૂટણી આયોગે બુધવારે અજિત પવાર અને શરદ પવાર બને પક્ષોને એક બીજા સાથે દસ્તાવેજને શર કરવાનો આદેશ આપ્યો હતો.

જણાવી દઇએ કે, જુલાઇ મહિનામાં શરુઆતમાં જ કાકા શરદ પવારને ઝટકો આપીને મહારાષ્ટ્ર સરકારમાં શામિલ થયેલ અજિત પવારે એએનસીપી અને તેમના ચૂટણી ચિન્હ પર પોતાનો હક્ક જતાવીને ચૂંટણી આયોગનો દરવાજો ખટખટા્વ્યો હતો. તેમજ શરદ પવારની તરફથી જંયતિ પાટીલે પણ 9 ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતા માટે અપીલ કરી હતી. અને બંને તરફથી દસ્તાવેશ શેયર કરવામાં આવ્યા હતા.
ચૂંટણી આયોગે બુધવારે અજીત પવાર અને શરદ પવાર બંને પક્ષોને એક બીજા સાથે દસ્તાવેજની આપ લે કરવા માટે આદેશ આપ્યો હતો. શરદ પવારે 1999માં એનસીપી બનાવી હતી .
જુન મહિનામાં શરદ પવારે પોતાની દિકરી સુપ્રિયા સૂલેને એસપીસીનો કાર્યકારી અધ્યક્ષ બનાવી હતી. જ્યારે પદ પર અજિત પવારને આ પદ માટે આશા હતી.
અધ્યક્ષ પદ છિનવાયા બાદ થોડા જ દિવસોમાં અજિત પવારે કાકા પવારને દગો આપીને ભાજપની સાથે હાથ મિલાવી લીધો અને સમર્થકો સાથે ભાજપ શિવસેના ગઠબંધનમાં શામિલ થઇ ગયા હતા.
મહારાષ્ટ્ર સરકારમાં શામિલ થયા બાદ તેને ઉપમુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ અજિત પાવાર દ્વારા એનસીપી પાર્ટીના ચૂંટણી ચિન્હ પર દાવો કરીને ચૂટણી આયોગમાં અપિલ કરી તી. તો શરદ પવારે ચૂંટણી આયોગમાં અજીત પવાર સહિત ગયેલા તમામ ધારાસભ્યોને અયોગ્યતા માટે અપિલ કરી હતી.












Click it and Unblock the Notifications
