એઆઇએડીએમકેના સાંસદે શશીકલાને મુખ્યમંત્રી બનવા કર્યો આગ્રહ
એઆઇએડીએમકેના સાંસદે કહ્યુ કે આવનારા સમયમાં ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે લોકોના દિલમાં સમર્થન મેળવવુ જરુરી છે. તેમણે શશીકલાને તરત જ મુખ્યમંત્રી પદ ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો છે...
શશીકલા નટરાજન દ્વારા એઆઇએડીએમકેના જનરલ સેક્રેટરીનું પદ સંભાળવાના માત્ર 2 દિવસ બાદ જ એઆઇએડીએમકેના સાંસદ અને લોકસભા સ્પીકર થંબુદરાઇએ આગ્રહ કર્યો છે કે તે તાત્કાલિક ધોરણે તમિલનાડુના મુખ્યમંત્રી પદને ગ્રહણ કરે. શશીકલા માટે આ અપીલ શનિવારે એઆઇએડીએમકેના સભ્યો સામે અપાયેલ ભાવુક ભાષણ બાદ કરવામાં આવી છે.

મીડિયાને જારી કરેલા પત્રમાં એઆઇએડીએમકે પાર્ટીના પ્રચાર સચિવ થંબુદુરાઇએ લખ્યુ છે, 'જ્યારે બે વર્ષમાં ચૂંટણી થવાની છે તો એવામાં અમારા પક્ષે સારી રીતે કામ કરીને લોકોના દિલમાં સમર્થન મળવુ જરુરી છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે આદરણીય ચિનમ્મા (શશીકલા) ને તાત્કાલિક ધોરણે સરકારનું નેતૃત્વ કરવા માટે તમિલનાડુના મુખ્યમંત્રી પદ સભાળવાનો હું આગ્રહ કરુ છુ. આ પહેલા રાજસ્વ મંત્રી ઉદયકુમાર અને એઆઇએડીએમકેના પ્રવકતા પોન્નેયન પણ શશીકલાને તમિલનાડુના મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કરવા માટે આગ્રહ કરી ચૂક્યા છે.
તમને જણાવી દઇએ કે હાલના સમયમાં તમિલનાડુના મુખ્યમંત્રી પદને ઓ પનીરસેલ્વમ સંભાળી રહ્યા છે. તેમણે આ પદ જે જયલલિતાના મોત બાદ 5 ડિસેમ્બર, 2016 ના દિવસે ગ્રહણ કર્યુ હતુ. આ પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા ફિલ્મોમાંથી રાજકારણમાં ગયા હતા અને લાંબી બિમારી બાદ તેમનુ મોત થયુ હતુ. ત્યારબાદ આ પદ ઓ પનીરસેલ્વમને સંભાળવા માટે આપવામાં આવ્યુ હતુ. જયલલિતાનું મોત 5 ડિસેમ્બરે રાતે 11.30 કલાકે થયુ હતુ. જયલલિતાના મોત બાદ સવાલો અને શંકાઓનો દોર શરુ થઇ ગયો હતો. જયલલિતાના નિધન પર મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશે પણ શંકા જતાવી હતી. તેમણે કહ્યુ હતુ કે જયલલિતાના મોત બાદ શંકાઓ પરથી પડદો ઉઠવો જોઇએ. આ પહેલા પણ આ પ્રકારની માંગો ઉઠી હતી. ચેન્નઇ સ્થિત એક બિન સરકારી સંગઠને પણ સર્વોચ્ચ ન્યાયાલયમાં યાચિકા દાખલ કરી હતી.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
